નવી દિલ્હી: ટેક્સ પેયર્સ માટે બજેટ 2023માં મોટી રાહતની જાહેરાત કરવામાં આવી છે. હવે નવી ઇન્કમટેક્સ રિઝિમ હેઠળ 7 લાખ રૂપિયાની આવક પર કોઇ ટેક્સ આપવો નહી પડે, જે અત્યાર સુધી 5 લાખ રૂપિયા હતો. નાણા મંત્રી નિર્મલા સીતારમણે નવી ટેક્સ વ્યવસ્થા હેઠળ ટેક્સપેયર્સને મોટી રાહત આપી છે. નવી ઇન્કમટેક્સ વ્યવસ્થા હેઠલ ટેક્સ છૂટની સીમાને 7 લાખ રૂપિયા કરી દેવામા આવી છે.
Advertisement
Advertisement
નવી ઇન્કમટેક્સ વ્યવસ્થા હેઠળ હવે 3 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ આપવો નહી પડે. 3થી 6 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર 5 ટકા ટેક્સ આપવો પડશે. 6થી 9 લાખ રૂપિયા સુધીની આવક પર 10 ટકા, 9થી 12 લાખ રૂપિયા સુધીની આવક પર 15 ટકા, 12થી 15 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા અને 15 લાખ રૂપિયાથી વધુની આવક પર 30 ટકા ઇન્કમટેક્સ આપવો પડશે.
વર્તમાન ટેક્સ સ્લેબ
નવી ઇન્કમટેક્સ રિઝિમમાં 2.5 લાખ રૂપિયા સુધીની આવક પર કોઇ ટેક્સ આપવો પડતો નથી. 2.50થી 5 લાખ રૂપિયા સુધીની આવક પર 5 ટકા ટેક્સ આપવો પડે છે જેમાં 87A હેઠળ રિબેટની જોગવાઇ છે. 5થી 7.50 લાખ રૂપિયાની આવક પર 10 ટકા, 7.50થી 10 લાખ સુધીની આવક પર 15 ટકા, 10થી 12.50 લાખ રૂપિયા સુધીની આવક પર 20 ટકા, 12.5 લાખથી 15 લાખ સુધીની આવક પર 25 ટકા અને 15 લાખ રૂપિયાથી વધારેની આવક પર 30 ટકા ટેક્સ આપવો પડે છે.
Advertisement