ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇને અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટી સાથે જોડાઇને તેમની ટિકિટ પર ચૂંટણી લડવાના સમાચાર સૂત્રો પાસેથી મળી રહ્યાં છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પછી ગુજરાતનું રાજકારણમાં પ્રતિદિવસ બ્રેકિંગ સમાચાર સામે આવી રહ્યાં છે. આજે બીજેપીએ પોતાના 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. બીજેપીએ અનેક દિગ્ગજ નેતાઓની ટિકિટ કાપતા તેઓ નારાજ થયા છે. તો બીજી તરફ બીજેપીના દિગ્ગજ નેતા એવા નીતિન પટેલ, વિજય રૂપાણી વગેરે જેવા નેતાઓની પણ ઉણપ જોવા મળી રહી છે.
Advertisement
Advertisement
આ બધા વચ્ચે હવે વિપુલ ચૌધરીએ બીજેપી સામે મોરચો ખોલી દીધો હોવાનું કહેવામાં આવી રહ્યું છે. વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીની ટિકિટ પરથી ચૂંટણી લડવા જઈ રહ્યાં છે. તો બીજી તરફ વિપુલ ચૌધરીની પીઠબળ તરીકે અર્બુદા સેના ઉભી છે. કહેવામાં આવી રહ્યું છે કે, ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં અર્બુદા સેના આમ આદમીને સપોર્ટ આપવા માટે મેદાનમાં ઉતરી રહી છે.
ઉત્તર ગુજરાતમાં વિપુલ ચૌધરીનું મોટું નામ છે. આ સમાચાર ઉત્તર ગુજરાત માટે મહત્વપૂર્ણ સમાચાર છે અને સૌથી મોટા સમાચાર છે. જો વિપુલ ચૌધરી આમ આદમી પાર્ટીમાં જોડાઇને ચૂંટણી લડે છે તો ઉત્તર ગુજરાતના રાજકારણમાં ધરખમ ફેરફાર આવી શકે છે. જોકે, આ અંગે વિપુલ ચૌધરી કે અર્બુદા સેના તરફથી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Advertisement