નવી દિલ્હી: ભારતીય બોક્સર અને કોંગ્રેસ નેતા વિજેન્દર સિંહ શુક્રવારે જંતર-મંતર પર પહેલવાનોના વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા હતા. ઓલિમ્પિક મેડલ વિજેતાએ મીડિયાને જણાવ્યુ કે તે રમત પ્રત્યે સમર્થન બતાવવા માટે ત્યા પહોચ્યા હતા. વિજેન્દર કુમાર સવારે સવારે વિરોધમાં સ્ટેજ પર બેસી ગયા હતા પરંતુ ખેલાડીઓએ તેમણે બાકી ભીડ સાથે બેસવા માટે કહ્યુ હતુ. પહેલવાન નથી ઇચ્છતા કે વિરોધને કોઇ રાજકીય રંગ આપવામાં આવે.
Advertisement
Advertisement
ગુરૂવારે પ્રદર્શનકારીઓએ ભાકપા નેતા વૃંદા કરાતને ધરણા સ્થળ પર સ્ટેજ છોડવા કહ્યુ હતુ. ભારતીય પહેલવાનો WFI અધ્યક્ષ ભૂષણ સિંહને સસ્પેન્ડ કરવાની માંગ કરતા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. વર્તમાન અધ્યક્ષ પર કેટલાક આરોપ લગાવવામાં આવ્યા છે જેમાં યૌન શોષણ અને બળજબરી વસૂલીનો આરોપ છે.
પહેલવાન ગુરૂવાર મોડી રાત્રે અનુરાગ ઠાકુરને મળ્યા હતા. જોકે, સૂત્રો અનુસાર આ મુલાકાતનું કોઇ પરિણામ આવ્યુ નહતુ. આશા કરવામાં આવીૂ રહી છે કે એથલીટ WFI અધ્યક્ષને સસ્પેન્ડ કરવા માટે એક બેઠક કરશે.
Advertisement