જામનગર: મૉસ્કોથી ગોવા જતી રશિયન એરલાઇન AZURની ફ્લાઇટમાં સોમવાર રાત્રે બોમ્બની સૂચના મળી હતી. મોડી રાત્રે પહોચેલી NSGની ટીમ 10 કલાક સુધી ફ્લાઇટ, મુસાફર અને ક્રૂ મેમ્બર્સના સામાનની તપાસ કરી હતી પરંતુ તપાસમાં બોમ્બ મળ્યો નહતો. બોમ્બના સમાચાર અફવા નીકળી હતી. મીડિયા રિપોર્ટ અનુસાર, મંગળવાર સવારે 10:30 વાગ્યાથી 11 વાગ્યા વચ્ચે ફ્લાઇટ ગોવા માટે ઉડાન ભરશે.
Advertisement
Advertisement
ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળ્યા બાદ ફ્લાઇટનું જામનગરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જેને કારણે જામનગર એરપોર્ટ પર અફરા તફરીનો માહોલ જોવા મળ્યો હતો. બોમ્બ ડિસ્પોઝલ સ્કવોર્ડ, ગુજરાત પોલીસ અને ફાયર બ્રિગેડ સૂચના મળતા જ એરપોર્ટ પર પહોચી ગયા હતા. 244 મુસાફર અને ક્રૂ મેમ્બર્સને ફ્લાઇટમાંથી ઉતારવામાં આવ્યા હતા. તે બાદથી તે એરપોર્ટ પર રાહ જોઇ રહ્યા હતા.
શું છે ઘટના અને ક્યારે મળી હતી જાણકારી
ફ્લાઇટ સોમવાર બપોરે 12.30 વાગ્યે મૉસ્કોથી ગોવા માટે ઉડી રહી હતી. રાત્રે 9.30 વાગ્યાની આસપાસ ફ્લાઇટમાં બોમ્બની સૂચના મળી હતી. જ્યાર સુધી ફ્લાઇટ ભારતીય એરસ્પેસમાં પ્રવેશ કરી ચુકી હતી. આ જાણકારી મળતા જ સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઇ ગઇ હતી. તે બાદ ફ્લાઇટને નજીકના એરપોર્ટ જામનગર ઉતારવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. 20 મિનિટ પછી રાત્રે 9.50 વાગ્યે ફ્લાઇટ લેન્ડ થઇ હતી. 10 વાગ્યા સુધી તમામ મુસાફરોને વિમાનમાંથી સુરક્ષિત નીચે ઉતારવામાં આવ્યા હતા. ફ્લાઇટને રાત્રે 11 વાગ્યે ગોવા પહોચવાનું હતું.
ગોવા ATCને મળ્યો હતો ધમકી ભરેલો મેઇલ
ગોવા એર ટ્રાફિક કંટ્રોલને મેલ દ્વારા વિમાનમાં બોમ્બ હોવાની સૂચના મળી હતી. જોકે, અત્યાર સુધી ખબર પડી શકી નથી કે મેઇલ કોને અને કેમ કર્યો હતો. AZURની આ ફ્લાઇટમાં 236 મુસાફર સવાર હતા અને આ તમામ રશિયન નાગરિક હતા.
કઇ શંકાસ્પદ ના મળ્યુ
અધિકારીઓએ જણાવ્યુ કે મુસાફર અને ક્રૂ મેમ્બર્સના સામાન અને ફ્લાઇટની કેટલીક વખત ચેકિંગ થઇ ગઇ છે. કોઇ પણ શંકાસ્પદ વસ્તુ મળી નથી. જ્યારે ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળ્યા તો એરપોર્ટ પર સુરક્ષા પણ વધારી દેવામાં આવી હતી.
રશિયન એમ્બેસીએ નિવેદન જાહેર કર્યુ
રશિયાએ કહ્યુ, અમને ભારત પાસેથી મૉસ્કોથી ગોવા જતી ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળ્યા છે, તમામ મુસાફર સુરક્ષિત છે. રશિયન એરલાઇન્સ AZUR Airએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે ફ્લાઇટમાં બોમ્બના સમાચાર મળ્યા બાદ ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. તપાસ બાદ જ આગળ કોઇ નિર્ણય લેવામાં આવશે.
જામનગરના પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ કહ્યુ કે તમામ મુસાફર અને ક્રૂ મેમ્બર્સ સુરક્ષિત છે. તમામ એરપોર્ટ પર છે, તેમના નાશ્તાની વ્યવસ્થા કરવામાં આવી છે. ફ્લાઇટની ચેકિંગ માટે NSGની ટીમને બોલાવવા પર તેમણે જણાવ્યુ કે આ એક ઇન્ટરનેશનલ ફ્લાઇટ છે, આવી ઘટનામાં NSG ટીમ પાસે ચેકિંગની SOP બનેલી છે. NSGની ટીમ તરફથી NOC મળ્યા બાદ જ ફ્લાઇટ અહીથી રવાના થઇ શકશે.
Advertisement