કોલકાતા: પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે ભારતીય જનતા પાર્ટી (BJP) ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા સંશોધિત નાગરિકતા અધિનિયમ (CAA) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટ્રેશન (NRC)નો ઉપયોગ કરી રહી છે. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રમુખ મમતા બેનરજીએ કહ્યુ કે તે પશ્ચિમ બંગાળમાં CAAને ક્યારેય પણ લાગુ નહી થવા દે. મમતા બેનરજીએ ભાજપ પર અલગ રાજ્યની માંગ ઉઠાવીને પશ્ચિમ બંગાળમાં અલગાવવાદને ભાર આપવાનો પ્રયાસનો પણ આરોપ લગાવ્યો હતો અને કહ્યુ કે તે ક્યારેય પણ રાજ્યનું વિભાજન નહી થવા દે.
Advertisement
Advertisement
મમતા બેનરજીએ કહ્યુ, જ્યારે પણ કોઇ ચૂંટણી આવે છે. ભાજપ સીએએ અને એનઆરસીને લાગુ કરવાની વાત કરે છે. એવામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી અને લોકસભા ચૂંટણીમાં લગબગ દોઢ વર્ષનો સમય બાકી હોવા છતા તેને ફરીથી CAAના મુદ્દાને ભડકાવવાનું શરૂ કરી દીધુ છે.
મતુઆ પણ આ દેશના નાગરિક
મમતા બેનરજીએ કૃષ્ણા નગરમાં પાર્ટી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યુ, શું ભાજપ નક્કી કરશે કે કોણ નાગરિક છે અને કોણ નથી? મતુઆ પણ આ દેશના નાગરિક છે. રાજકીય રીતે શક્તિશાળી મતુઆ સમાજમાંથી કેટલાક લોકો ઉત્તર 24 પરગણા અને નદિયા જિલ્લામાં રહે છે.
પશ્ચિમ બંગાળનું વિભાજન ક્યારેય નહી થવા દે
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રીએ કહ્યુ, ભાજપ રાજ્યના ઉત્તરી ભાગમાં રાજવંશી અને ગોરખાઓને ભડકાવીને પશ્ચિમ બંગાળમાં અલગાવવાદને ભાર આપતી રહી છે. અમે પશ્ચિમ બંગાળનું વિભાજન ક્યારેય નહી થવા દઇએ, તેમણે દાવો કર્યો કે ભાજપ 2024ની લોકસભા ચૂંટણી પછી સત્તામાં પરત નહી ફરે. મમતા બેનરજીએ કહ્યુ કે 2019માં દેશની રાજકીય સ્થિતિ અલગ હતી અને ત્યારથી આ બદલાઇ ગઇ છે, તેમણે કહ્યુ, 2019માં દેશની રાજનીતિક સ્થિતિ અલગ હતી, બિહાર, ઝારખંડ અને કેટલાક અન્ય રાજ્યમાં ભાજપ સત્તામાં હતી પરંતુ હવે દેશભરમાં તેની રાજકીય હાજરી ઓછી થઇ ગઇ છે, આ હવે કેટલાક રાજ્યમાં સત્તામાં નથી.
Advertisement