ગાંધીનગર: રાજસ્થાનના મુખ્યમંત્રી અને ગુજરાત ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીના મુખ્ય સુપરવાઇઝર અશોક ગહેલોતે પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના નિયમિત ગુજરાત પ્રવાસને હારની આશંકા ગણાવી છે. ગહેલોતે રાહુલ ગાંધીના અત્યાર સુધી ગુજરાતમાં પ્રચાર ના કરવાને લઇને કહ્યુ કે તેમણે તેની જરૂર નથી. કોંગ્રેસ નેતાએ આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યુ હતુ અને ભાજપ સાથે મળવાનો આરોપ લગાવ્યો છે.
Advertisement
Advertisement
અશોક ગહેલોતે કહ્યુ, “જ્યારથી તે યૂપી ચૂંટણી જીત્યા, પીએમ અને અમિત શાહે નિયમિત અહી (ગુજરાત) આવવાનું શરૂ કરી દીધુ હતુ, જેનો અર્થ છે કે તેમણે લાગે છે કે ભાજપનો અહી સફાયો થઇ રહ્યો છે. આ શું બતાવે છે કે જો તે દર અઠવાડિયે અહી આવી રહ્યા છે? તેમની નબળી સ્થિતિને બતાવે છે, માટે બન્નેએ અહી કેમ્પ લગાવી દીધો છે.”
આ પણ વાંચો: શ્રદ્ધા હત્યા કેસ: અશોક ગહેલોતે કહ્યું, ‘એક સમુદાય-એક ધર્મને નિશાન બનાવવામાં આવ્યો’
રાજસ્થાનના મુખ્યમંત્રીએ કહ્યુ, અમારે તેની જરૂર નથી, રાહુલ ગાંધી ગુજરાત સહિત તમામ રાજ્ય માટે યાત્રા કાઢી રહ્યા છે. દરેક ઘર જાણે છે કે તે ક્યા મુદ્દાને ઉઠાવી રહ્યા છે. તે (રાહુલ ગાંધી) યાત્રાને પ્રાથમિકતા આપી રહ્યા છે માટે શારીરિક રીતે તેમનું અહી હોવુ શક્ય નહતુ. તે આજે આવી રહ્યા છે અને પોતાની વાત રાખશે.
આ પણ વાંચો: ‘મારી કોઇ ઔકાત નથી, હું તો સામાન્ય માણસ છું’, કોંગ્રેસના નિવેદન પર પીએમ મોદીનો વળતો પલટવાર
ગુજરાતમાં કોંગ્રેસના ચૂંટણી પ્રચાર અભિયાનમાં જોડાયેલા ગહેલોતે આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર પણ નિશાન સાધ્યુ છે અને કહ્યુ કે તેમની વિશ્વસનિયતા ઓછી થઇ ગઇ છે, તેમણે કહ્યુ, “કોઇએ કેજરીવાલને પૂછવુ જોઇએ કે અચાનક તેમણે હિમાચલમાં અભિયાન બંધ કેમ કરી દીધુ? તેમણે ત્યા માત્ર ઉમેદવાર ઉતાર્યા, કોણ જાણે છે કે તે અહી પણ આવુ જ કરે. શું તેમની ભાજપ સાથે મિલીભગત છે? તેમની વિશ્વસનીયતા ઓછી થઇ ગઇ છે.”
Advertisement