નવી દિલ્હી: કાનપુરમાં દબાણ હટાવવા દરમિયાન ઝુપડીમાં આગ લાગતા મા-દીકરીના મોત પર AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ પ્રતિક્રિયા આપી છે.
Advertisement
Advertisement
અસદુદ્દીન ઓવૈસીએ કહ્યુ કે, “બુલડોઝરની રાજનીતિ કરનારાઓએ મા-દીકરીનો જીવ લઇ લીધો છે. ભાજપ દેશને બુલડોઝરથી ચલાવવા માંગે છે, બંધારણથી નહી. તમે (ભાજપ) માત્ર તોડવા માંગે છે, જોડવા માંગતી નથી.”
ઓવૈસીના આ નિવેદન પર કેન્દ્રીય મંત્રી ગિરિરાજ સિંહે પલટવાર કર્યો છે. ગિરિરાજ સિંહે કહ્યુ, જિન્ના તો પાકિસ્તાન જતા રહ્યા પરંતુ તેમના વારિસના રૂપમાં કેટલાક લોકો બચી ગયા છે, તેમણે એમ પણ કહ્યુ કે જ્યારે ઓવૈસીના મોઢામાંથી કઇ પણ નીકળે છે તો ઝેર જ નીકળે છે, તે ક્યારેય પણ કાયદાની વાત કરતા નથી.
ઓવૈસીએ ભિવાની ઘટનાને લઇને પણ સવાલ ઉઠાવ્યા
હરિયાણાના ભિવાની લોહારૂમાં કારમાંથી બે યુવકના સળગેલી હાલતમાં કંકાળ મળતા રાજકારણ ગરમાયુ છે. AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ ટ્વીટ કરીને સવાલ ઉઠાવ્યા છે.
ઓવૈસીએ ટ્વીટ કરીને કહ્યુ, “બે દિવસ પહેલા જુનૈદ અને નસીરનું રાજસ્થાનના ધાત્મિકાથી અપહરણ કરવામાં આવ્યું હતું. આજે તેમની સળગેલી લાશ મળી છે. અશોક ગહેલોતની પોલીસે સમય પર કાર્યવાહી કરી નથી અને હજુ સુધી આરોપીઓની ધરપકડ નથી કરી. આરોપી જાણીતા ગૌ રક્ષક છે. જુનૈદ,નસીરના પરિવારને ન્યાય મળવો જોઇએ.”
Advertisement