લોકસભા ચૂંટણી પહેલા થનારી કર્ણાટકની વિધાનસભાની ચૂંટણીને ઘણી નિર્ણાયક માનવામાં આવી રહી છે. હવે એક મહિનાથી પણ ઓછો સમય બચ્યો છે. ચૂંટણી પંચ પ્રમાણે 10મીમેએ ચૂંટણી છે 13મી મેના રોજ પરિણામ છે. આ પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રચારના ભાગરૂપે ગુજરાતીઓ સાથે બેઠક કરી આવ્યા છે. કર્ણાટકના સંગઠનોમાં સતત બેઠકોનો દૌર ચાલુ છે. 15મી એપ્રિલ પછી ભાજપના રાષ્ટ્રીય નેતાઓ કર્ણાટકના પ્રવાસે જશે અને આ પ્રવાસની સમગ્ર જવાબદારી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાને આપવામાં આવી છે.
Advertisement
Advertisement
સૂત્રોના જણાવ્યા અનુસાર ગુજરાત ભાજપના 125 જેટલા નેતાઓ એપ્રિલ મહિનામાં કર્ણાટકમાં જમાવડો કરશે. આ માટે પ્રદિપસિંહ વાઘેલા, ગણપત વસાવા, પ્રવીણ માલી, જીતુ વાઘાણી, પૂર્ણેશ મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનું નામ સામેલ કરવામાં આવ્યું છે.
મુખ્યમંત્રી બન્યા પછી ભૂપેન્દ્ર પટેલ પહેલીવાર કોઈ અન્ય રાજ્યમાં જઈને પ્રવાસ કરશે.
2018ના વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 104 સીટો મળી હતી જેની સામે બહુમતી માટે 113 સીટોની જરૂર હતી. આમ બીજેપી પાસે 9 સીટો ઓછી હતી અને સામે જેડીએસને 37 સીટો મળી હતી. કેટલોક સમય જેડીએસ અને કોંગ્રેસે ગઠબંધન કરીને સરકાર પણ ચલાવી હતી.
Advertisement