નવી દિલ્હી: દિલ્હી મહિલા આયોગ (DCW)ના પ્રમુખ સ્વાતિ માલીવાલે છેડતી થયાનો દાવો કર્યો હતો. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો. હવે ભાજપે આરોપ લગાવ્યો છે કે સ્વાતિ માલીવાલ સાથે છેડતી થઇ નહતી અને તેને આ ડ્રામા રચ્યો હતો અને તેની પોલ ખુલી ગઇ છે. ભાજપે કહ્યુ કે માલીવાલ સાછે છેડતીનો આરોપી આમ આદમી પાર્ટીનો સભ્ય છે. બીજી તરફ સ્વાતિ માલીવાલે ભાજપના આરોપ પર પલટવાર કર્યો છે.
Advertisement
Advertisement
શું છે આખી ઘટના?
સ્વાતિ માલીવાલે જણાવ્યુ કે તે ગુરૂવાર સવારે 3 વાગ્યે રિયાલિટી ચેક કરવા માટે દિલ્હીના રસ્તા પર ઉતરી હતી. AIIMS પાસે એક વ્યક્તિ પોતાની કાર લઇને આવ્યો હતો અને સ્વાતિ માલીવાલ પર અંદર બેસવાનું દબાણ કર્યુ હતુ. એક વખત ઇનકાર કરતા તે જતો રહ્યો હતો પરંતુ થોડી વાર પછી તે ફરી આવ્યો હતો. જ્યારે સ્વાતિ માલીવાલ તેને બારીમાંથી હાથ નાખીને પકડવા ગઇ તો તેને કાર દોડાવી હતી. જેને કારણે સ્વાતિ માલીવાલ થોડા અંતર સુધી ઘસેડાઇ હતી.
આરોપીની ધરપકડ
ઘટનાની જાણ થતા જ પોલીસે કાર્યવાહી કરતા આરોપીની ધરપકડ કરી હતી અને તેની ગાડી જપ્ત કરી હતી. આરોપીની ઓળખ 47 વર્ષીય હરીશ ચંદ્ર તરીકે થઇ છે.
ભાજપે ડ્રામા ગણાવ્યો
સ્વાતિ માલીવાલના દાવા પર સવાલ ઉઠાવતા ભાજપના નેતાઓએ તેને ડ્રામ ગણાવ્યો છે. ભાજપના નેતા શાજિયા ઇલ્મીએ કહ્યુ કે આમ આદમી પાર્ટી અને એક ખાનગી ચેનલે દિલ્હી અને દિલ્હી પોલીસને બદનામ કરવા માટે એક ષડયંત્ર હેઠળ સ્ટિંગ કર્યુ જેની પર ગંભીર સવાલ ઉભા થાય છે. ભાજપના નેતાએ કહ્યુ કે શું મહિલા સુરક્ષા જેવા મુદ્દા પર રાજકારણ યોગ્ય છે? કેટલાક અન્ય ભાજપના નેતાઓએ પણ આવા જ સવાલ ઉભા કર્યા છે.
આરોપી AAPનો કાર્યકર્તા- ભાજપ
દિલ્હી ભાજપના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યુ કે સ્વાતિ માલીવાલ સાછે છેડતીનો આરોપી હરીશ ચંદ્ર સૂર્યવંશી છે, જે સંગમ વિહારમાં આમ આદમી પાર્ટીનો મુખ્ય કાર્યકર્તા છે. સચદેવાએ એક તસવીર પણ શેર કરી છે જેમાં આરોપીને AAPના ધારાસભ્ય પ્રકાશ જારવાલ સાથે ચૂંટણી પ્રચાર કરતો જોઇ શકાય છે, તેમણે કહ્યુ કે તસવીર સામે આવ્યા બાદ આ સ્પષ્ટ થઇ ગયુ કે આ AAPની દિલ્હીને બદનામ કરવાનું ષડયંત્ર છે.
સ્વાતિ માસલીવાલે કહ્યુ- હું ડરવાની નથી
ભાજપના નેતાઓના આરોપો પર સ્વાતિ માલિવાલે પલટવાર કર્યો છે, તેમણે ટ્વીટર પર લખ્યુ, “જેમણે લાગે છે કે મારા અંગે ખોટી વાતો કરીને મને ડરાવી દેશે, તેમણે જણાવી દઉં,મે માથા પર કફન બાંધીને આ નાના જીવનમાં ઘણા મોટા કામ કર્યા છે. મારી પર કેટલાક હુમલા થયા પણ હું રોકાઇ નથી. દરેક અત્યાચારથી મારી અંદરની આગ વધી છે. મારો અવાજ કોઇ દબાવી શકતુ નથી, જ્યાર સુધી જીવતી છું, લડતી રહીશ.”
સુલતાનપુરી દૂર્ઘટનાને કારણે ફરી મહિલા સુરક્ષા ચર્ચામાં
સ્વાતિ માલીવાલ સાથે આ ઘટના એવા સમયે થઇ છે જ્યારે સુલતાનપુરી દૂર્ઘટનાને કારણે દિલ્હીમાં મહિલાઓની સુરક્ષાને લઇને પહેલાથી જ સવાલ ઉભા થઇ રહ્યા છે. 1 જાન્યુઆરીએ સવારે અંધારામાં બનેલી આ ઘટનામાં 20 વર્ષીય અંજલિની સ્કૂટીને એક કારે ટક્કર મારી હતી. ટક્કરમાં અંજલિનો પગ ગાડીમાં ફસાઇ ગયો હતો અને કાર સવાર તેને 13 કિલોમીટર સુધી ઘસેડતા લઇ ગયા હતા જેને કારણે તેનું મોત થયુ હતુ.
Advertisement