ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યમાં ભાજપ સરકાર છે અને આ વખતે આમ આદમી પાર્ટી પણ ચૂંટણી જીતવાના પ્રયાસો કરી રહી છે. દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી અને AAPના વડા અરવિંદ કેજરીવાલે ભાવનગરમાં રોડ-શો યોજાયો હતો. આ દરમિયાન એવા સમાચાર સામે આવી રહ્યાં છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલને ખુલ્લેઆમ મુસ્લિમ ફાઈટરસ ક્લબ જુહાપુરા અમદાવાદ દ્વારા ખુલ્લે ટેકો આપવામાં આવશે. આ અંગેની જાહેરાત તારીખ 27/11/2022 અને રવિવારના રોજ સત્તાવાર રીતે કરવામાં આવશે.
Advertisement
Advertisement
જણાવી દઈએ કે, હાલમાં અરવિંદ કેજરીવાલ ગુજરાતમાં પોતાની રાજકીય જમીન બનાવવા માટે રાત-દિવસ એક કરી રહ્યાં છે. તેઓ આજે એટલે કે, 26 નવેમ્બરે ભાવનગરમાં લોકોને સંબોધિત કર્યા હતા. આ દરમિયાન તેમને કોંગ્રેસ પર ઓછા અને ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. સ્વભાવિક છે કે, ગુજરાતમાં પાછલા 27 વર્ષથી બીજેપી રાજ કરી રહી છે, તેથી તેમના કામોને લઇને આમ આદમી પાર્ટી આક્રમક રીતે ટીકા કરી રહી છે. તો બીજી તરફ કોંગ્રેસ માટે માઠા સમાચાર તે છે કે, મુસ્લિમ સમાજ આમ આદમી પાર્ટીને ટેકો જાહેર કરવા જઈ રહ્યો છે.
ભાવનગરમાં કેજરીવાલે શું કહ્યું?
ભાવનગરમાં અરવિંદ કેજરીવાલે સત્તાધારી ભાજપ પર ભરપુર નિશાન સાધ્યા હતા. કેજરીવાલે આ દરમિયાન કહ્યું કે, ગીતામાં લખ્યું છે, જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય તો ઉપરવાળો ઝાડું ચલાવે છે. ઉપરવાળો ઝાડુ ચલાવવા લાગ્યો છે. ગુજરાત એક થઈ ગયું છે, પરિવર્તન થવાનું છે. કેજરીવાલે આગળ કહ્યું કે, કોઈ મને ભાઈ, કોઈ બેટા કહે છે. હવે ગુજરાતના તમામ પરિવારોનો હિસ્સો બની ગયો છું. હું વિશ્વાસ આપવા ઈચ્છુ છું કે, જો સરકાર બની તો તમારા પરિવારની જવાબદારી સંભાળી લઈશ.
તમારૂ લાઈટબિલ પણ જીરો રૂપિયા આવશે
આ ચૂંટણી સભા દરમિયાન કેજરીવાલે ગુજરાતમાં વીજળી ફ્રી આપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે કહ્યું કે, દિલ્હી અને પંજાબમાં લાઈટ બીલ ઝીરો આવે છે. તેમણે વધુમાં કહ્યું કે, તમામ મહિલાઓના એકાઉન્ટમાં દર મહિને રૂ.1000 મોકલીશું. તો આ દરમિયાન તેમણે બેરોજગારોને રોજગારી આપવાનું પણ વચન આપ્યું હતું. તેમણે દિલ્હીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, દિલ્હીમાં અમે 12 લાખ રોજગાર આપ્યો, ગુજરાતમાં પણ આવું કરીશું, જ્યાં સુધી રોજગાર નહીં આપીએ, ત્યા સુધી 3000 રૂપિયાનું ભથ્થું મળતું રહેશે.
મને માત્ર પાંચ વર્ષ આપો
કેજરીવાલે વધુમાં કહ્યું કે, ભાજપને 27 વર્ષ આપ્યા, મને માત્ર 5 વર્ષ આપી દો. કામ કરું તો આવતી વખતે ધક્કો મારી દેજો. મને દિલ્હીવાસીઓનો એટલો પ્રેમ મળ્યો છે કે, ભાજપને 3 અને કોંગ્રેસને ઝીરો સીટ આપી છે.
મને ગુંડાગીરી નહીં શાળા અને હોસ્પિટલો બનાવતા આવડે છે
કેજરીવાલે સભામાં કહ્યું કે, મને ગુંડાગીરી કરતા આવડતું નથી. મને શાળાઓ અને હોસ્પિટલો બનાવતા આવડે છે. ગુંડાગીરી કરવી હોય તો તેમને મત આપજો અને શાળા જોઈતી હોય તો મને મત આપજો. કેજરાવાલે વધુમાં કહ્યું કે ગીતામાં લખ્યું છે કે જ્યારે પાપનો ઘડો ભરાઈ જાય છે ત્યારે ઉપરવાળો ઝાડું ચલાવે છે. ઉપરવાળો ઝાડું ચલાવવા લાગ્યો છે. ગુજરાત એક થયું છે, પરિવર્તન થવાનું છે. સાવરણીનું બટન એટલું જોરખી દબાવજો કે, બટન બગડી જાય.
Advertisement