ગાંધીનગર: ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં ભાજપની ઐતિહાસિક જીત પછી ભાજપના કાર્યાલય કમલમમાં ધારાસભ્ય દળની બેઠક મળી હતી. આ બેઠકમાં ભાજપના તમામ જીતેલા 156 ધારાસભ્ય હાજર રહ્યા હતા. આ બેઠકમાં CM ભૂપેન્દ્ર પટેલના નામનો પ્રસ્તાવ કનુ દેસાઇએ મુક્યો હતો અને પૂર્ણેશ મોદી અને શંકર ચૌધરી, રમણ પાટકર અને મનીષા વકીલે ટેકો જાહેર કર્યો હતો.
Advertisement
Advertisement
રૂપાણી-નીતિન પટેલ પણ હાજર રહ્યા
કમલમમાં મળેલી ધારાસભ્ય દળની બેઠકમાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભૂપેન્દ્ર પટેલને પુષ્પગુચ્છ આપીને જીતની શુભકામના પાઠવી હતી.
દિલ્હીથી ત્રણ નીરિક્ષક ગુજરાત આવ્યા
ધારાસભ્ય દળની બેઠકમાં ભાગ લેવા માટે દિલ્હીથી ભાજપના ત્રણ નીરિક્ષક ગુજરાત આવ્યા હતા. ભાજપના રાષ્ટ્રીય સંગઠને નીરિક્ષક તરીકે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી બી.એસ.યેદિયુરપ્પા અને કેન્દ્રીય આદિજાતિ મંત્રી અર્જૂન મુંડાની પસંદગી કરી હતી.
દિલ્હી જશે ભૂપેન્દ્ર પટેલ- સીઆર પાટિલ
સાંજે 4 વાગ્યે ભૂપેન્દ્ર પટેલ ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટિલ સાથે દિલ્હી જશે. દિલ્હીમાં પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા અને સંગઠન મહાસચિવ બીએલ સંતોષ સાથે મુલાકાત કરશે. શપથગ્રહણ સમારંભનું આમંત્રણ આપવાની સાથે સાથે ગુજરાત મંત્રી મંડળની રચના પર પણ ચર્ચા થશે. સાથે જ ગુજરાત મંત્રી મંડળને કેન્દ્રીય નેતૃત્વ લીલી ઝંડી પણ બતાવશે. મહત્વપૂર્ણ છે કે 12 ડિસેમ્બરે ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડમાં ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહેશે.
Advertisement