બાંગ્લા ટીવી શો અને સિરિયલોની જાણીતી અભિનેત્રી એંડ્રિલા શર્માનું રવિવારે અવસાન થયું. 24 વર્ષની એંડ્રિલાને શનિવારે રાત્રે કાર્ડિયાક અરેસ્ટ થયો હતો. આ પછી તેમને CPR આપવામાં આવ્યું હતું, પરંતુ કંઇ વધારે ફાયદો થયો નહતો.
Advertisement
Advertisement
આ પછી તેમની તબિયતમાં થોડો સુધારો થયો હતો પરંતુ તેમણે બપોરે 12.59 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેમને હાવડાની એક ખાનગી હોસ્પિટલમાં વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા.
એન્ડ્રીલા કેન્સર સર્વાઈવર હતી. તેમણે ટીવી શો ‘ઝુમુર’ પછી ઘણી લોકપ્રિય સિરિયલોમાં કામ કર્યું. તેમાં ‘જીવન જ્યોતિ’ જેવી લોકપ્રિય સિરિયલનો સમાવેશ થાય છે. તેમણે ‘ભગર’ વેબ સિરીઝમાં પણ કામ કર્યું હતું.
Advertisement