કોલકાતા: પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુર જિલ્લાના અર્જુન નગર વિસ્તારમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થયો હતો. દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે બૂથ અધ્યક્ષનું આખુ ઘર તૂટી ગયુ હતુ. દૂર્ઘટનાની જાણ થતા જ પોલીસે ત્રણ શબને કબજામાં લઇને પોસ્ટ મોર્ટમ માટે મોકલી આપ્યા હતા જ્યારે ગંભીર રીતે ઘાયલ બે લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે પૂર્વ મેદિનીપુર જિલ્લાના કાંથીમાં ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનરજીની જનસભા છે. જનસભા પહેલા ટીએમસીના બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્નાના ઘરમાં વિસ્ફોટ થયો હતો. દૂર્ઘટનામાં બૂથ અધ્યક્ષ રાજકુમાર મન્ના સહિત ત્રણ લોકોના મોત થયા હતા જ્યારે બે લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો ઘટનાસ્થળે પહોચ્યા હતા. લોકોએ તેની જાણ ભૂપતિનગર પોલીસને કરી હતી.
Wb | A blast occurred at residence of TMC booth president Rajkumar Manna in Arjun Nagar area under Bhupati Nagar PS in Purba Medinipur limits last night. Injuries reported. Party’s National General Secretary Abhishek Banerjee is scheduled to hold a public rally in Contai today. pic.twitter.com/1ynqX7G6S3
— ANI (@ANI) December 3, 2022
પોલીસ તપાસમાં જોડાઇ
ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી આવી હતી. પોલીસે જણાવ્યુ કે દૂર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે, બે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ છે. આ ઘટના શુક્રવાર રાત્રે સાડા 10 વાગ્યે અર્જૂનનગર ગ્રામ પંચાયતના નરયાબિલા ગામની છે. મૃતકોમાં રાજકુમાર મન્ના, તેમના ભાઇ દેવકુમાર મન્ના અને વિશ્વજીત ગાયેન છે. રાજકુમાર મન્ના વિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે જાણીતા હતા.
Advertisement