સુપ્રીમ કોર્ટે એક મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. આ ચુકાદા અનુસાર ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું પણ અપરાધ મનાશે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું જ UAPA હેઠળ કાર્યવાહીનો આધાર બની શકે છે. ખાસ વાત એ છે કે સુપ્રીમકોર્ટે શુક્રવારે આપેલા ચુકાદામાં 2011માં આપેલા તેના ચુકાદાને જ પલટી નાખ્યો છે.
Advertisement
Advertisement
સુપ્રીમકોર્ટે અરુપ ભુયન વિરુદ્ધ આસામ સરકાર, ઈન્દિરા દાસ વિરુદ્ધ આસામ સરકાર અને કેરળ સરકાર વિરુદ્ધ રનીફના કેસમાં આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ગેરકાયદે સંગઠનનું સભ્ય હોવું જ ગેરકાયદે પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનો આધાર ન હોઈ શકે જ્યાં સુધી કે તે કોઈ હિંસક ઘટનામાં સામેલ ન હોય.
જસ્ટિસ એમ.આર.શાહ, જસ્ટિસ સી.ટી. રવિકુમાર અને જસ્ટિસ સંજય કરોલની બેન્ચે તેના ચુકાદામાં ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદા, 1967ની કલમ 10(એ)(1)ને પણ યોગ્ય ઠેરવી છે જે ગેરકાયદે સંગઠનના સભ્યપદને પણ અપરાધ જાહેર કરે છે.
કોર્ટે તેના ચુકાદામાં કહ્યું કે 2011નો ચુકાદો જામીન અરજી પર આપવામાં આવ્યો હતો જ્યાં કાયદાની જોગવાઈઓની બંધારણીયતા પર સવાલ ઊઠાવાયો નહોતો. સાથે જ ગેરકાયદે પ્રવૃત્તિઓ(રોકથામ) કાયદો અને આતંકવાદ તથા વિઘટનકારી ગતિવિધિઓ(રોકથામ) એક્ટની બંધારણીયતાને પણ યોગ્ય ઠેરવાઈ હતી.
Advertisement