તમિળનાડુમાં બિહારના પ્રવાસી શ્રમિકો પર થયેલા હુમલાને કારણેહવે રાજકીય નિવેદનબાજી વધી ગઈ છે. બિહાર સરકારે અધિકારીઓની એક ટીમને તમિળનાડુ મોકલી આપી છે. બીજી બાજુ લોક જનશક્તિ પાર્ટી (રામવિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાન પણ તમિળનાડુ પહોંચી ગયા છે અને રાજ્યપાલ સાથે મુલાકાત કરીને ઘટનાની તપાસ કરાવવાની માગણી કરી છે. પાસવાનના જણાવ્યા મુજબ બિહારના લોકોને હજુ પણ ધમકીઓ મળી રહી છે અને પોલીસ ધમકી આપનારાની સામે કોઈ કેસ પણ નોંધતી નથી.
Advertisement
Advertisement
તમિળનાડુના રાજ્યપાલ સાથે મુલાકાત કર્યા પછી ચિરાગ પાસવાને મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું કે તમિળનાડુના રાજ્યપાલ સાથે તેમની મુલાકાત થઈ છે અને તેમણે રાજ્યપાલને આવેદનપત્ર સોંપ્યુ છે. આ મામલે હસ્તક્ષેપ કરવા મેં તેમને અનુરોધ કર્યો છે અનેસાચી માહિતી કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવાનું કાર્ય કરે જેથી ત્યાં રહેતા બિહારના લોકોમાં સલામતીની લાગણી ઉભી થાય. તેમણે અમારી વાત સાંભળી અને ખાતરી આપી હતી કે આ મામલે તેઓ સાચી માહિતી મેળવીને કેન્દ્ર સરકારને મોકલી આપશે. મુખ્યમંત્રી સાથે મારી મુલાકાત થઈ શકી નથી. પરંતુ, હું તેનો મુદ્દો બનાવવા માગતો નથી. અહીંના લોકોમાં ભય છે અને તેમનામાંથી આ ડર જતો રહે તેરાજ્ય સરકારે સુનિશ્ચિત કરવું જોઈએ.
Advertisement