ગુજરાત એક્સક્લૂઝિવ: ગુરુવારે સોનિયા ગાંધીએ પહેલીવાર ‘ભારત જોડો યાત્રા’માં ભાગ લીધો હતો. કર્ણાટકના મંડ્યા જિલ્લામાં તે પોતાના પુત્ર અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી સાથે લગભગ 45 મિનિટ સુધી ચાલ્યા હતા. આને પાર્ટીના કાર્યકરો માટે પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યું છે.
Advertisement
Advertisement
સોનિયા ગાંધીની તબિયત સારી નથી. તે યાત્રામાં મોડેથી જોડાયા હતા, પરંતુ તેમના પુત્ર, કર્ણાટકના નેતાઓ સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર સાથે લગભગ 45 મિનિટ સુધી ઉત્સાહપૂર્વક ચાલ્યા હતા. એક પ્રસંગ એવો પણ આવ્યો, જ્યારે રાહુલ ગાંધી તેમની માતાના પગરખાં બાંધતા જોવા મળ્યા હતા.
બેલગવી જિલ્લાના ખાનપુરના કોંગ્રેસના ધારાસભ્ય ડૉ. અંજલિ નિમ્બાલકરના જણાવ્યા અનુસાર, “45 મિનિટ દરમિયાન તેમણે આરામ કરવા માટે બે બ્રેક લીધા અને પછી પ્રવાસમાં જોડાયા. તે હાલમાં સ્વાસ્થ્ય છે. તેમણે રાહુલજી અને અન્ય લોકો સાથે વાત કરી. તેમણે મને કહ્યું કે તે ખુશ છે. આ યાત્રામાં ઘણી બધી મહિલાઓ ભાગ લઈ રહી છે અને મહિલાઓ પણ ચારે બાજુથી યાત્રાને જોવા માટે ઉમટી છે.
જ્યારે સવારે 6.30 વાગ્યે શરૂ થયેલી યાત્રામાં 11.30 વાગ્યે પહેલીવાર વિરામ થયો ત્યારે સોનિયા ગાંધીએ પાર્ટી કાર્યકર્તાઓ સાથે વાત કરી હતી. આ યાત્રા સાંજે 4.30 વાગ્યે ફરી શરૂ થઈ અને સાંજે 7 વાગ્યે રાહુલ ગાંધીની સભા સાથે સમાપ્ત થઈ.
શું સોનિયાનો ચહેરો મદદ કરશે?
મંડ્યા એક સમયે કોંગ્રેસનો ગઢ ગણાતો હતો. ત્યાંની યાત્રામાં સોનિયા ગાંધી જોડાતા કાર્યકરોનો ઉત્સાહ વધી ગયો છે. છેલ્લા કેટલાક વર્ષોમાં જનતા દળ સેક્યુલર (JDS) એ દક્ષિણ કર્ણાટકના આ જિલ્લામાં પોતાનું વર્ચસ્વ વધાર્યું છે.
જિલ્લામાં ઉચ્ચ જાતિના વોક્કાલિગા સમુદાયની સૌથી વધુ વસ્તી છે અને આ સમુદાયે દક્ષિણ કર્ણાટકના જિલ્લાઓમાં કોંગ્રેસના મુખ્ય વિરોધી જેડીએસને સમર્થન આપ્યું છે. ભાજપને લિંગાયત સમુદાયનું સમર્થન છે, જે ઉત્તરના જિલ્લાઓમાં પ્રભુત્વ ધરાવે છે. દક્ષિણ કર્ણાટકના જિલ્લાઓમાં પણ ભાજપ પોતાની પકડ મજબૂત કરવાનો પ્રયાસ કરી રહી છે.
કોંગ્રેસના કાર્યકર્તા અને વકીલ ટીએસ સત્યાનંદ કહે છે, “આનાથી પાર્ટીને મદદ મળશે કેમ કે પાર્ટી કાર્યકર્તાઓ ઉત્સાહ વધ્યો છે. સોનિયા પ્રત્યે લોકોનો પ્રેમ છે અને તે પાંચમી વખતે તે જિલ્લામાં આવી છે.”
પરંતુ શું આ ઉત્સાહ સાત મહિના પછી થનાર વિધાનસભાની ચૂંટણી સુધી કાયમ રહેશે?
સત્યાનંદ કહે છે કે, ઉત્સાહને બનાવી રાખવો એક નિરંતર પ્રક્રિયા છે. 2018 વિધાનસભા ચૂંટણી અને 2019 લોકસભા પછી જિલ્લાના ગ્રાઉન્ડની સ્થિતિ બદલાઇ છે. સોનિયા ગાંધીના આવવાથી વર્તમાનમાં ઉત્સાહ વધારે છે પરંતુ પાછળથી જેડીએસ પોતાના કાર્યકર્તાઓને પ્રચાર માટે લગાવીને સ્થિતિને બદલવાની કોશિશ કરી શકે છે.
શું ઉત્સાહ યથાવત રહશે?
નિષ્ણાત માને છે કે સોનિયા ગાંધી દ્વારા ભારત જોડો યાત્રામાં જોડાવાથી કાર્યકર્તાઓમાં ઉત્સાહનું સંચાર થયું છે, પરંતુ તે આશ્વસ્ત નથી કે તેમનો ઉત્સાહ બીજેપી શાસિત પ્રદેશમાં તેમને ટક્કર આપવા માટે ચૂંટણી સુધી કાયમ રહેશે. વર્ષ 2018થી કોંગ્રેસ અને બીજેપીની સરકાર વારા-ફરથી સત્તામાં આવતી રહી છે. વર્ષ 2018-19માં કેટલાક સમય માટે જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધનની સરકાર હતી.
રાજનીતિના નિષ્ણાત અને મેસૂર વિશ્વવિદ્યાલયની કલા સંકાય (આર્ટ ફેકલ્ટી)ના ચેરમેન પ્રોફેસર મુજફ્ફર અસ્સાદી કહે છે, સોનિયા ગાંધીનું જોડાવવું પ્રતીકાત્મક છે. તેઓ એક લોકનેતા રહ્યાં છે અને તેમાં કોઇ શક નથી, પરંતુ અનેક લોકોને એવું લાગે છે કે આની અસર થશે નહીં કેમ કે રાહુલની પદયાત્રાથી વધારે પાવરફુલ મેસેજ જઇ રહ્યું છે.
સોનિયા ગાંધી કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટી માટે મુક્ય કેમ્પેનરમાંથી એક રહ્યાં છે. કોંગ્રેસ અધ્યક્ષ બન્યા પછી પ્રથમ વખત તેમને બેંગ્લોરમાં ભાષણ આપ્યું હતુ અને વિરોધીઓને ચેલેન્જ આપી હતી કે, તેઓ પોતાના પતિ અને પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી પર બોફોર્સ કૌંભાડમાં લાગેલા ભ્રષ્ટાચારના આરોપો સાબિત કરીને બતાવે.
તે પછી તેમને 1999માં બેલ્લારીથી લોકસભા ચૂંટણીમાં બીજેપી નેતા સુષ્મા સ્વરાજને માત આપી. બંને વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી, પરંતુ જ્યારે રાજ્યસભાએ મહિલા અનામતથી જોડાયેલ બિલ પાસ કર્યો તો બંનેએ ગળે મળીને રાજકીય મતભેદ ભૂલાવી દીધો. તેમના દ્વારા રાજકીય મર્યાદાઓને ફરીથી પરિભાષિત કર્યું છે.
પ્રોફેસર અસ્સાદી કહે છે, “જોકે તેમનું અહીં આવવું તે નિરાશ થઇ ચૂકેલા કોંગ્રેસ કાર્યકર્તાઓને આશા આપશે જેમને લાગતુ હતું કે તેમને ભારત જોડો આંદોલનમાં નજર અંદાજ કરવામાં આવ્યા છે. આ રાજનીતિના હિસાબથી મોટો સિગ્નલ નથી, પરંતુ કાર્યકર્તાઓ માટે છે.”
અજીમ પ્રેમજી વિશ્વવિદ્યાલયના રાજકીય જાણકાર અને પબ્લિક પોલિસીના પ્રોફેસર એ નારાયણનું પણ માનવું છે કે સોનિયાનો યાત્રામાં જોડાવવું સુસ્ત થઈ ચૂકેલા પાર્ટી કાર્યકર્તાઓમાં નવો પ્રાણ ફૂકશે.
પરંતુ આની લાંબી અસર થશે તેવું લાગી રહ્યું નથી. પાર્ટી કર્ણાટકમાં યાત્રાને વધારે મહત્વ આપી રહી છે કેમ કે અહીં ચૂંટણી આગામી વર્ષની શરૂઆતમાં છે.
નારાયણ કહે છે, “યાત્રામાં સોનિયાની ભાગીદારી અને ભારત જોડો યાત્રા ખત્મ થયા પછી ફોલોઅપ કેવી રીતે કરવામાં આવે છે તેના પર ઘણું નિર્ભર રહેશે. તેમજ રાહુલ ગાંધીની કર્ણાટક મુલાકાત પછી આવનારા ભાજપના પ્રચારનો કોંગ્રેસ કેવી રીતે સામનો કરે છે. કન્નડ મીડિયામાં બીજેપી જે પ્રકારની જાહેરાતો આપી રહી છે, તેનાથી લાગે છે કે આ યાત્રાની મોટી અસર થઈ શકે છે.”
યાત્રા વિરૂદ્ધ બીજેપનું કેમ્પેન
કર્ણાટકમાં યાત્રા આવ્યા પછી એક સપ્તાહમાં બીજી વખત બીજેપીએ કન્નડ સમાચાર અખબારોમાં આખા પેજની જાહેરાતો આપી છે, જેમાં કોંગ્રેસ અને તેમના નેતાઓ પર અનેક આરોપ લગાવવામાં આવ્યા છે.
ગુરુવારે કન્નડ અખબારમાં એક જાહેરાત આવી જે સામાન્ય દિવસના સમાચાર જેવી દેખાતી હતી. ફરક માત્ર એટલો હતો કે આ જૂના સમાચારો હતા, જેમાં કોંગ્રેસની ટીકા કરવામાં આવી હતી.
પહેલી સ્ટોરીમાં જણાવવામાં આવ્યું હતું કે નવેમ્બર 2008માં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન રાહુલ ગાંધી પાર્ટી કરી રહ્યા હતા. આ પેજ પર અન્ય એક સમાચાર લખવામાં આવ્યા હતા જેમાં લખ્યું છે કે તત્કાલિન મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના (PFI) સભ્યોને જેલમાંથી મુક્ત કરાવ્યા હતા. તાજેતરમાં કેન્દ્ર સરકારે આ સંસ્થા પર પ્રતિબંધ મૂક્યો છે.
મુખ્ય સ્ટોરીની બાજુંમાં વધુ એક લેખ જાહેરાતના રૂપમાં આપવામાં આવ્યો છે, જેમાં કર્ણાટકના સ્પોક પર્સન રમેશ કુમારના ભાષણને ટાંકવામાં આવ્યો છે. જેમાં લખવામાં આવ્યું હતુ કે પાછલા ત્રણ દશકાઓમાં કાર્યકર્તાઓએ ખુબ જ કમાણી કરી લીધી અને હવે પાર્ટીને પરત કરવાનો સમય આવ્યો છે.
આ પેજ પર કર્ણાટક પાર્ટીના પ્રેસિડેન્ટ ડીકે શિવકુમાર વિરૂદ્ધ ઈડી દ્વારા દાખલ કરેલ ચાર્જશીટનો પણ ઉલ્લેખ કર્યો છે. તે ઉપરાંત એક એડમાં નેશનલ હેરાલ્ડ કેસ સાથે જોડાયેલા સમાચાર છે જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને બીજા કોંગ્રેસ નેતાઓનો ઉલ્લેખ કર્યો છે. આ એડની નીચે નાના અક્ષરોમાં લખ્યું છે કે આને બીજેપી દ્વારા પ્રકાશિત કરવામાં આવી છે.
પત્રકારોના પ્રશ્નનો જવાબ આપતા મુખ્યમંત્રી બાસવરાજ બોમ્મઇએ કહ્યું કે ભારત જોડો યાત્રાની બીજેપી પર કોઈ જ અસર થશે નહીં. તેમને કહ્યું, દરેક પાર્ટીના નેતા કામ કરી રહ્યાં છે અને સોનિયા ગાંધી અડધા કિલોમીટર ચાલ્યા પછી જતાં રહ્યાં. આ ચીજોની પાર્ટી પર કોઈ જ અસર થશે.
બોમ્મઇએ કહ્યું, “જેવી રીતે ભારત જોડો યાત્રાથી પહેલા નિર્ણય લેવામાં આવ્યો હતો, બીજેપી છ રેલીઓ કરશે. તેમાંથી એક રેલી ઓબીસી સમાજની કલબુર્ગીમાં થશે અને તેમાં વડાપ્રધાન ભાષણ આપશે. તે ઉપરાંત પાર્ટીએ જાહેરાત કરી છે કે બોમ્મઇ અને પાર્ટીના સ્ટાર કેમ્પેનર અને પૂર્વ મુખ્યમંત્રી બીએસ યેદિયુરપ્પા 11 ઓક્ટોબરથી રાયચૂર જિલ્લામાંથી ત્રણ મહિના લાંબી યાત્રા શરૂ કરશે.”
Advertisement