નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે 2021 લખીમપુર ખીરીમાં ખેડૂતોના મોતની ઘટનામાં આરોપી કેન્દ્રીય મંત્રી અજયકુમાર મિશ્રાના પુત્ર આશીષ મિશ્રાની જામીન અરજી પર ચુકાદો આપ્યો છે. આશીષ મિશ્રાને સુપ્રીમ કોર્ટે વચગાળાના જામીન આપ્યા છે.
Advertisement
Advertisement
એક વર્ષથી વધુ જેલમાં બંધ રહેલા આશીષ મિશ્રાને લખીમપુર ખીરી કેસમાં 8 અઠવાડિયા માટે વચગાળાના જામીન મળ્યા છે. આ દરમિયાન તે દિલ્હીમાં નહી રહે, આ સાથે જ ઉત્તર પ્રદેશને પણ એક અઠવાડિયામાં છોડવા અને પાસપોર્ટ સરેન્ડર કરવાનો આદેશ પણ સુપ્રીમ કોર્ટે કર્યો છે. જજ સૂર્યકાંત અને જજ જેકે માહેશ્વરીની પીઠે આ આદેશ સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટની પીઠે 19 જાન્યુઆરીએ આશીષ મિશ્રાની વચગાળાની જામીન અરજી પર પોતાનો આદેશ સુરક્ષિત રાખી લીધો હતો.
તો રદ થઇ જશે આશીષ મિશ્રાના જામીન
સુપ્રીમ કોર્ટે આશીષ મિશ્રાને વચગાળાના જામીન આપતા કહ્યુ કે તે જો સાક્ષીઓને ધમકાવવા ગયો તો જામીન રદ કરી દેવામાં આવશે. જો આશીષ મિશ્રા ટ્રાયલમાં મોડુ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે તો પણ તેમના જામીન રદ કરવામાં આવશે. આશીષ મિશ્રા કોર્ટને પોતાના લોકેશન વિશે જણાવશે. આશીષ મિશ્રા અથવા તેમના પરિવારના સભ્યો દ્વારા સાક્ષીને પ્રભાવિત કરવાના કોઇ પણ પ્રયાસથી જામીન રદ થઇ જશે. આશીષ મિશ્રા ટ્પાયલમાં ભાગ લેવાને છોડીને યૂપી નહી જાય. સાથે જ તેમણે પોતાના સ્થળના અધિકાર ક્ષેત્રના પોલીસ સ્ટેશનમાં હાજરી આપવી પડશે. સુપ્રીમ કોર્ટે ટ્રાયલ કોર્ટ જલ્દી સુનાવણી પુરી કરવા કહ્યુ છે. 14 માર્ચે કેસની આગામી સુનાવણી યોજાશે. આશીષ મિશ્રાના જામીન આગળ વધારવામાં આવે કે નહી તે સુપ્રીમ કોર્ટ 8 અઠવાડિયા પછી નક્કી કરશે.
Advertisement