ગાંધીનગર: દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના પ્રમુખ અરવિંદ કેજરીવાલે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને મોટો દાવો કર્યો છે. કેજરીવાલે કહ્યુ કે આ ચૂંટણીમાં કોંગ્રેસ પાંચ બેઠક પણ નહી જીતે. આટલુ જ નહી, તેમણે ભવિષ્ય માટે પણ આ વાત પેપર પર લખીને આપી છે. કેજરીવાલે કહ્યુ કે, કોંગ્રેસને કોઇ ગંભીરતાથી લેતુ નથી. તે પહેલા પણ ગુજરાતમાં કોંગ્રેસના ખતમ થવાનો દાવો કરી ચુક્યા છે.
Advertisement
Advertisement
ગુજરાતમાં AAP નંબર 2, ચૂંટણી સુધી નંબર-1 બની જશે- કેજરીવાલ
કેજરીવાલે કોંગ્રેસનું પાંચથી પણ ઓછી બેઠક જીતવાનું આ અનુમાન ઇંડિયા ટુડે અને NDTVના અલગ-અલગ સમ્મેલનમાં લગાવ્યુ હતુ. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં AAP નંબર-2 પર છે અને ચૂંટણી પહેલા તે ભાજપને પાછળ છોડીને નંબર એક પાર્ટી બની જશે. કેજરીવાલે દાવો કર્યો કે રાજ્યમાં AAPની સરકાર બનવા જઇ રહી છે અને તેને 30 ટકા કરતા વધારે મત મળશે. જોકે, તેમણે AAP અને ભાજપની બેઠકની સંખ્યા ગણાવી નહતી.
ભાજપનો 20 ટકા વોટ શેર ઘટીને AAP પાસે આવી રહ્યો છે-કેજરીવાલ
કેજરીવાલે કોંગ્રેસના વોટ કાપવાના આરોપનો જવાબ પણ આપ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં ભાજપનો વોટ શેર પણ 20 ટકા ઘટ્યો છે અને આ બધુ AAP પાસે આવી રહ્યુ છે.
કેજરીવાલે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મિલી ભગતનો આરોપ લગાવ્યો છે, તેમણે કહ્યુ કે કોંગ્રેસ ભાજપની પત્નીની જેમ છે અને તે પુરી રીતે ભાજપના ખિસ્સામાં છે. કેજરીવાલે કહ્યુ કે ગુજરાતમાં કોઇ કોંગ્રેસ નથી અને ભાજપ પોતાના ઉમેદવારોની સાથે સાથે કોંગ્રેસના ઉમેદવારોને પણ ફંડ કરી રહી છે, તેમણે કહ્યુ કે ભાજપના 27 વર્ષના રાજ બાદ રાજ્યના લોકો બદલાવ માંગે છે.
ભાજપ પર લગાવ્યો સિસોદિયા અને જૈનને છોડવા માટે ઓફર આપવાનો આરોપ
કેજરીવાલે ભાજપ પર મનીષ સિસોદિયા અને સત્યેન્દ્ર જૈનનો પીછો છોડવા માટે એક ઓફર આપવાનો પણ આરોપ લગાવ્યો હતો. કેજરીવાલે કહ્યુ કે ભાજપે ઓફર આપી કે જો AAP ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી ના લડે તો સત્યેન્દ્ર જૈન અને મનીષ સિસોદિયાને છોડી દેવામાં આવશે અને તેમના વિરૂદ્ધ ચાલી રહેલા તમામ કેસને બંધ કરી દેવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે આ બન્ને નેતાઓ પર ભ્રષ્ટાચારના આરોપ છે અને કેન્દ્રીય એજન્સીઓ તેમના વિરૂદ્ધ તપાસ કરી રહી છે.
આ પણ વાંચો: આમ આદમી પાર્ટીના ઉમેદવાર ભાજપ નક્કી કરે છે, કોંગ્રેસમાં જોડાતા જ ઇંદ્રનીલ રાજ્યગુરૂનો ઘટસ્ફોટ
ગુજરાતમાં આવતા મહિને યોજાશે વિધાનસભાની ચૂંટણી
મહત્વપૂર્ણ છે કે ગુજરાતમાં આવતા મહિને 1 અને 5 ડિસેમ્બરે એમ બે તબક્કામાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. જ્યારે 8 ડિસેમ્બરે પરિણામ જાહેર થશે.
ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે દર વખતે મુકાબલો થાય છે. જોકે, આ વખતે અરવિંદ કેજરીવાલની આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM પણ ચૂંટણી મેદાનમાં છે. આમ આદમી પાર્ટી પ્રથમ વખત રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી લડી રહી છે. AAPએ ગુજરાતમાં પોતાનો મુખ્યમંત્રીનો ચહેરો પણ જાહેર કરી દીધો છે. AAP ઇસુદાન ગઢવીના નેતૃત્વમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી લડશે.
Advertisement