ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ દિલ્હીના નેતાઓના આંટા ફેરા વધ્યા છે. રાજ્યમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે. આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ સૌરાષ્ટ્રના પ્રવાસે છે. દ્વારકામાં કેજરીવાલે ગુજરાતની જનતા માટે સ્વાસ્થ્ય, શિક્ષણ અને રોજગારી, ખેડૂતોના મુદ્દાને લઇને ગેરંટીની જાહેરાત કરી હતી.
અરવિંદ કેજરીવાલે કહ્યુ,
Advertisement
Advertisement
“ગુજરાતની જનતાનો સારો પ્રેમ મળી રહ્યો છે, આમ આદમી પાર્ટી જુઠ્ઠા વાયદા નથી કરતી, જે કહીએ છીએ તે કરીને બતાવીયે છીએ. હું તમારી પાસેથી પાંચ વર્ષની ગેરંટી માંગુ છું, જો પાંચ વર્ષમાં કાંઇ ના થાય તો ધક્કા મારીને કાઢી મુકજો. કેજરીવાલે પ્રથમ ગેરંટી આપી હતી કે દરેક યુવાઓને રોજગારી આપીશું, દરેક બેરોજગારોને દર મહિને 3 મહિનાનું ભથ્થુ આપીશું, અમે 10 લાખ સરકારી નોકરીની તકો ઉભી કરીશુ.”
गुजरात के सभी किसान भाइयों के लिए हमारी गारंटी-
1. फसलों पर पूरी MSP, शुरू में 5 फ़सल
2. खेती के लिए दिन में 12 घंटे बिजली
3. मौजूदा ज़मीन सर्वे रद्द कर नया सर्वे
4. ₹20,000/Acre मुआवज़ा
5. नर्मदा बांध के पूरे Command क्षेत्र में 1 साल में पानी pic.twitter.com/IpTXERrSJ4— Arvind Kejriwal (@ArvindKejriwal) September 2, 2022
દર મહિને 300 યૂનિટ વીજળી ફ્રી આપવામાં આવશે
આપના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યુ કે,
ગુજરાતમાં આપની સરકાર બનવાના એક વર્ષની અંદર તમામ પરિક્ષાને પૂર્ણ કરાવીશુ, ફેબ્રુઆરીમાં તલાટીની પરીક્ષા લેવાશે અને એપ્રિલમાં તેમણે પોસ્ટિંગ મળી જશે. જેટલા પેપર ફૂટ્યા છે તેની તપાસ પણ કરાવીશું.
દ્વારકામાં અરવિંદ કેજરીવાલે વધુ એક ગેરંટી આપતા કહ્યુ,
અમારી સરકાર બનતા જ જૂના તમામ બીલ માફ અને દર મહિને 300 યૂનિટ વીજળી મફત આપવામાં આવશે. 18 વર્ષથી વધુ ઉંમરની તમામ મહિલાના ખાતામાં દર મહિને એક હજાર રૂપિયા જમા કરવામાં આવશે.
ગુજરાતના તમામ ખેડૂત ભાઈઓ માટે કેજરીવાલની ગેરંટી-
1. પાક પર સંપૂર્ણ MSP, શરૂઆતમાં 5 પાક
2. રોજના 12 કલાક ખેતી માટે વીજળી
3. હાલની જમીન માપણી રદ કરીને નવો સર્વે
4. ₹20,000/એકર વળતર
5. 1 વર્ષમાં નર્મદા ડેમના સમગ્ર કમાન્ડ એરિયામાં પાણી
Advertisement