ભોપાલ: મધ્ય પ્રદેશના કોંગ્રેસ નેતા રાજા પટેરિયાની વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આપેલા વિવાદાસ્પદ નિવેદન માટે ધરપકડ કરવામાં આવી છે. સોમવારે પૂર્વ મંત્રી રાજા પટેરિયાનો એક વીડિયો વાયરલ થયો હતો જેમાં તે ચૂંટણી જીતવા માટે વડાપ્રધાન મોદીની વાત કરતા જોવા મળતા હતા. પટેરિયા કાર્યકર્તાઓને એમ કહેતા જોવા મળતા હતા કે, “પીએમ મોદી ચૂંટણી ખતમ કરી નાખશે, પીએમ મોદી ધર્મ, જાતિ, ભાષાના આધાર પર વહેચી નાખશે. દલિતોને આદિવાસી અને લઘુમતીઓનું જીવન ખતરામાં છે. જો બંધારણ બચાવવુ છે તો પીએમ મોદીની હત્યા કરવા માટે તૈયાર રહો.” જોકે, બાદમાં રાજા પટેરિયા વીડિયોમાં હત્યા શબ્દને હારની પરિભાષા આપતા જોવા મળ્યા હતા અને કહ્યુ હતુ કે હત્યાનો અર્થ હાર હતો.
Advertisement
Advertisement
રાજા પટેરિયાના આ નિવેદનને લઇને ઘણી ટિકા થઇ હતી અને ધરપકડની માંગ કરવામાં આવી હતી. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે તેમના નિવેદનની ટિકા કરતા કહ્યુ હતુ, ભારત જોડો યાત્રાનો ઢોંગ કરનારાઓની અસલિયત સામે આવી રહી છે. માનનીય મોદીજી જનતાના દિલમાં વસે છે. સંપૂર્ણ દેશની આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે. મેદાનામં તેમની સામે મુકાબલો ના કરી શકનારા કોંગ્રેસના લોકો એટલા માટે કોંગ્રેસના એક નેતા મોદીજીની હત્યાની વાત કરી રહ્યા છે. આ વિદ્વેષની પરાકાષ્ઠા છે. આ ધૃણાની અતિ છે. કોંગ્રેસનો અસલી ભાવ હવે પ્રકટ થઇ રહ્યો છે. આવી વસ્તુને સહન ના કરી શકાય. ફરિયાદ કરવામાં આવી રહી છે કાયદો પોતાનું કામ કરશે.
Advertisement