શ્રીનગર: જમ્મુ કાશ્મીરના કુપવાડામાં માછિલ સેક્ટરના ફૉરવર્ડ એરિયામાં એક દૂર્ઘટનામાં ત્રણ ભારતીય સૈનિકોના મોત થયા છે. ત્રણેય સૈનિક એક નિયમિત ઓપરેશન ટાસ્ક પૂર્ણ કરતા હતા. સેના અનુસાર એક જૂનિયર કમીશંડ ઓફિસર અને બે અન્ય રેન્કના અધિકારીઓને લઇને જઇ રહેલુ એક વાહન બરફભરેલા ટ્રેકથી ફસડ્યા પછી ખીણમાં ખાબક્યુ હતુ.
Advertisement
Advertisement
સેનાની ચિનાર કૉપ્સ (Chinar Corps)એ એક ટ્વીટમાં કહ્યુ કે માછિલ સેક્ટરમાં જવાનોના શબ મળ્યા છે. ચિનાર કૉર્પ્સે ટ્વીટ કરતા કહ્યુ, ફૉરવર્ડ એરિયામાં એક નિયમિત ઓપરેશન ટાસ્ક દરમિયાન 1 JCO અને 2 ORનો એક દળ બરફને કારણે ખીણમાં ફસડાઇ પડ્યા હતા. ત્રણેય બહાદુર જવાનોના શબ મળ્યા છે.
18 નવેમ્બરે પણ સર્જાઇ હતી દૂર્ઘટના
મહત્વપૂર્ણ છે કે આ પહેલા માછિલ સેક્ટરમાં 18 નવેમ્બર 2022માં પણ એક દૂર્ઘટના બની હતી. જેમાં હિમસ્ખલનને કારણે સેનાના ત્રણેય જવાનના મતો થયા હતા. અધિકારીઓએ દૂર્ઘટના વિશે જણાવતા કહ્યુ હતુ કે સેનાની 56 રાષ્ટ્રીય રાઇફલ્સના ત્રણેય સૈનિક નિયંત્રણ રેખા પાસે કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં હિમસ્ખલનની ઝપેટમાં આવી ગયા હતા જેને કારણે તેમના મોત થયા હતા.
Advertisement