શ્રીનગર: જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ તંત્રનું અભિયાન ચાલુ છે. જમ્મૂ-કાશ્મીર તંત્રએ અનંતનાગ જિલ્લાના પહેલગામના લેવાર ગામમાં આતંકવાદી ગ્રુપ હિઝબુલ મુજાહિદ્દીનના કમાન્ડર આમિર ખાનના બે માળના ઘરની આસપાસની સંપત્તિને બુલડોઝર ચલાવીને તોડી નાખ્યુ હતુ.
Advertisement
Advertisement
સૂત્રો અનુસાર ગુલામ નબી આઝાદ ઉર્ફ આમિર ખાન હિઝબુલ મુજાહિદ્દીનનો ટૉપ ઓપરેશનલ કમાન્ડર છે. તે 90ના દાયકાની શરૂઆતમાં પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (POK)ને પાર કરીને ભાગી ગયો હતો. સમાચાર એજન્સી ANI અનુસાર જમ્મુ કાશ્મીર તંત્રએ અનંતનાગના પહેલગામમાં હિઝબુલ મુજાહિદ્દીનના આતંકી કમાન્ડર આમિર ખાનના ઘરને તોડી નાખ્યુ છે.
સરકારી જમીન પર થયેલા નિર્માણને ધ્વસ્ત કરાયુ
જમ્મુ કાશ્મીર તંત્રની સંયુક્ત અભિયાન ટીમે અનંતનાગ જિલ્લાના લેવાર ગામમાં એક મેજિસ્ટ્રેટની હાજરીમાં આ અભિયાન ચલાવ્યુ હતુ. એક બુલડોઝરે હિઝબુલ ના કમાન્ડર આમિર ખાનની સંપત્તિના પરિસરની દીવાલને તોડી નાખી હતી, જે અતિક્રમણ સરકારી જમીન પર કરવામાં આવ્યું હતું. અધિકારીઓએ કહ્યુ કે કાશ્મીર ઘાટીને આતંકવાદથી મુક્ત બનાવવા અને સરકારમાં લોકોનો વિશ્વાસ જગાવવા માટે આ પગલુ ભરવામાં આવ્યું છે.
હિઝબુલના કમાન્ડરને 15 વર્ષની જેલ
આ પહેલા બુધવારે (28 ડિસેમ્બર) શ્રીનગરની એક કોર્ટે હિઝબુલ મુજાહિદ્દીનના એક કમાન્ડરને 15 વર્ષની જેલની સજા સંભળાવી હતી.
જમ્મુ અને કાશ્મીર પોલીસે ટ્વીટ કર્યું હતુ, “શ્રીનગર યુએપીએ કોર્ટે પ્રતિબંધિત સંગઠન હિઝબુલ મુજાહિદ્દીનના સ્વયંભૂ જિલ્લા કમાન્ડર અમીર નબી વાઘે ઉર્ફે અબુ કાસિમને દોષિત ઠેરવ્યો, જેની તપાસ રાજ્ય તપાસ એજન્સી (એસઆઈએ) દ્વારા કરવામાં આવી હતી. તેને 15 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી.”
Advertisement