નવી દિલ્હી: દિલ્હીમાં આબકારી નીતિમાં કથિત કૌભાંડને લઇને કેન્દ્ર સરકાર સતત તપાસ કરી રહી છે બીજી તરફ આ વચ્ચે સમાજસેવી અન્ના હજારેએ પત્ર લખીને આપ સરકાર પર પ્રહાર કર્યા છે. આ સાથે જ પત્રમાં દારૂ સાથે જોડાયેલી સમસ્યા અને તેના સૂચન આપ્યા છે.
Advertisement
Advertisement
અન્નાએ પોતાના પત્રમાં લખ્યુ ક જે રીતે દારૂનો નશો હોય છે, ત રીતે સત્તાનો પણ નશો હોય છે. તમે પણ આવી સત્તાના નશામાં ડુબી ગયા છો, એવુ લાગી રહ્યુ છે. પત્રમાં અન્ના હજારેએ લખ્યુ કે તમે સ્વરાજ નામની આ પુસ્તકમાં કેટલી આદર્શ વાતો લખી હતી, ત્યારે તમારી પાસે મોટી આશા હતી પરંતુ રાજનીતિમાં જઇને મુખ્યમંત્રી બન્યા બાદ તમે આદર્શ વિચારધારાને ભૂલી ગયા હોય એમ લાગે છે, માટે દિલ્હીમાં તમારી સરકારે નવી દારૂ નીતિ બનાવી, એવુ લાગે છે કે જેનાથી દારૂ પીનારાઓની સંખ્યા વધી શકે છે, ગલી ગલીમાં દારૂની દુકાનો ખુલી શકે છે, જેનાથી ભ્રષ્ટાચાર વધશે. આ વાત જનતાના હિતમાં નથી.
અન્ના હજારેએ લખ્યુ કે દિલ્હી સરકારની નવી દારૂ નીતિને જોઇને હવે ખબર પડી રહી છે કે, એક ઐતિહાસિક આંદોલનને નુકસાન કરીને જે પાર્ટી બની ગઇ, તે પણ બાકી પાર્ટીના રસ્તા પર ચાલવા લાગી, આ ઘણી દુખદ વાત છે.
Advertisement