ભારતમાં શરદીય નવરાત્રિ અને ચૈત્રી નવરાત્રિનું અનોખું મહાત્મ્ય રહેલું છે. કારણ કે આ નવ દિવસમાં માત્ર નવરાત્રિ જ નહીં, અનેક તહેવારોનો શુભ સમન્વય થાય છે.પ્રથમ તો ચૈત્ર સુદમ એકમ એટલે ગુડી પડવો, જે દિવસે માત્ર નવરાત્રિનું ઘટસ્થાપન જ નહીં બ્રાહ્મણોનું નવું વર્ષ પણ છે. આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણએ દેહોત્સર્ગ એટલે કે પોતાના અવતાર કાર્ય પૂર્ણ કરી લીલા સંકેલી અને સ્વધામ સિધાવી ગયા હતા.ત્યારબાદ ચૈત્ર સુદ બીજ એટલે કે ચેટીચાંદ, કચ્છીઓ અને સિંધીઓનું નવું વર્ષ હોય છે.
ચૈત્ર સુધી ત્રીજ એટલે શ્રી ભગવાન વિષ્ણુની મત્સ્યવતાર જ્યંતી કે જે દિવસે ભગવાને જળ પ્રલયમાંથી મત્સ્ય રુપે પૃથ્વી બચાવી હતી. તે હોલિકા દહન પછીની ગૌરી મનોરથ કે ગણગૌર ત્રીજ પણ કહેવાય છે.ચૈત્ર સુદ ચોથ વિનાયક ચતુર્દશી અને માનો કુષ્માંડા અવતાર ગણાય.
ચૈત્ર સુદ પાંચ, સ્કંદમાતા અવતાર જેને શ્રી લક્ષ્મી અનંત પંચમી કહેવાય જે સ્થિર લક્ષ્મી યોગ અર્પે છે.
ચૈત્ર સુદ છઠ કાત્યાયની અવતાર કહે છે જેનું મહત્વ પણ પૂર્વના રાજ્યોમાં વિશિષ્ઠ છે. જ્યારે છઠ પૂજા થાય છે જે શ્રી યમુના મહારાણીનો પ્રાગટ્ય દિન મનાવાય છે.ચૈત્ર સુદ સાતમ કાલરાત્રિ પૂજન ઉપરાંત શ્રી નરસિંહ મહેતાજીની તપ પ્રયાણ સપ્તમિ તરીકે પણ ઉજવાય છે.ચૈત્ર સુદ અષ્ટમી દુર્ગાષ્ટમી કહેવાય છે જ્યારે માના મહાગૌરી સ્વરુપનું પૂજન થાય છે અને માના ભવાની સ્વરુપનો પ્રાગટ્ય દિન મનાવાય છે જેને વાસંતી દુર્ગા પૂજા પણ કહે છે.ચૈત્ર સુદ નોમ એટલે શ્રી રામનવમી, ભગવાન સ્વામિનારાયણનો પ્રાગટ્ય દિન અને માના સિદ્ધિદાત્રિ સ્વરુપનું પૂજન થાય છે.આમ નવ દિવસોમાં શ્રી ભાગવદજીના દશાવતારો પૈકી મત્સ્યાવતાર અને રામાવતાર બે અવતારો થયા છે અને માનું અનંત લક્ષ્મી, દુર્ગા અને ભવાની એમ ત્રણ રુપે પ્રાગટ્ય થયું છે.
Advertisement
Advertisement
Advertisement