નવી દિલ્હી: પશુ કલ્યાણ બોર્ડે બુધવારે એક અપીલ જાહેર કરીને વેલેન્ટાઇન ડે પર લોકોને ગાયને ગળે લગાવવા કહ્યુ હતુ. આ અપીલની સોશિયલ મીડિયા પર મઝાક બન્યા બાદ નિર્ણયને પરત લેવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
રિપોર્ટ અનુસાર, બોર્ડે 14 ફેબ્રુઆરીએ કાઉ હગ ડે મનાવવાનો નિર્ણય પરત લીધો છે. જોકે, તેમણે ગાયને ગળે લગાવવાના ફાયદા જણાવ્યા છે. મહત્વપૂર્ણ છે કે પશુપાલન મંત્રાલય અંતર્ગત આવે છે જેને પુરૂષોત્તમ રૂપાલા સંભાળી રહ્યા છે.
વિપક્ષે પણ બોર્ડને ઘેર્યુ હતુ
પશુ કલ્યાણ બોર્ડે પશ્ચિમી સભ્યતા વધવાથી ભારતીય સંસ્કૃતિને ખતરો ગણાવતા તેને બચાવવા માટે કાઉ હગ ડે મનાવવા માટે એક અપીલ પત્ર જાહેર કર્યો હતો. તે બાદ ટ્વિટર પર લોકોએ ઘણી મીમ્સ અને વીડિયો શેર કરીને તેની મઝાક ઉડાવી હતી.
કોંગ્રેસના એક નેતાએ કહ્યુ હતુ કે તે પોતાની ગાયને રોજ ગળે લગાવે છે, જ્યારે શિવસેના સાંસદ સંજય રાઉતે અદાણીને ભાજપની પવિત્ર ગાય ગણાવી હતી.
Advertisement