‘ન જાણ્યું જાનકી નાથે કાલે સવારે શું થવાનું’ એ ઉક્તિ જાણે કોઇ પરિવાર માટે ક્યારે આઘાતજનક બની જતી હોય છે. દરેક પરિવાર પોતાના સપનાઓ સાથે એક નવી સવારની શરૂઆત કરતા હોય છે ત્યારે બાલાસિનોરના નગર વિસ્તારમાં રહેતી અને કાલુપુર પ્રાથમિક શાળામાં ધોરણ ૬માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની ખુશી સાથે પણ આવું જ બન્યું હોય તેવી કહી શકાય છે. ખુશીની સ્કૂલની પરીક્ષા ચાલી રહી હતી ત્યારે પિતાનું આકસ્મિક અવસાન થયું હતું. આ સમચાર વાયુવેગે પ્રચાર-પ્રસાર થયા હતા. વિદ્યાર્થિની ખુશી પોતાના પિતાનો મૃતદેહ ઘરમાં હોવા છતાં માતાના આશીર્વાદથી પિતાના સ્વપ્નને પૂર્ણ કરવા માટે હિમ્મતભેર પરીક્ષા આપવા નીકળીને બીજા વિદ્યાર્થીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડયું છે. આ બનાવની જાણ શાળાના શિક્ષકોને થતા તેઓ ભાવુક થયા હતા અને સમગ્ર શાળામાં શોકમગ્ન બની હતી. ખુશીના પિતા ઉમેશભાઇ શાહનું ૧૩ એપ્રિલે સવારે આકસ્મિક અવસાન પરિવાર પર આભ તૂટી પડયું હતું. આ સમયે ખુશીની સ્કૂલમાં વાર્ષિક પરીક્ષા પણ ચાલી રહી હતી ત્યારે ખુશીની માતાએ ધોરણ ૬માં વિજ્ઞાાનના પેપરની પરીક્ષા આપવાની પ્રેરણા આપીને પરીક્ષા આપવા માટે મોકલી હતી. આ સમએ ખુશી પોતાના હૃદય પર પથ્થર રાખીને પરીક્ષામાં પેપર આપ્યું હતું અને ત્યારપછી પિતાની અંતિમ વિધિમાં જોડાઇ હતી. પરિવારમાં આ પ્રકારની ઘટના બની હતી છતાં ખુશીએ પરીક્ષા આપીને વધુ સારો અભ્યાસ કરીને માતા-પિતાના બધા સ્વપ્ન પૂરા કરવાનો સંકલ્પ કર્યો હતો.
Advertisement
Advertisement
Advertisement