અજય દેવગણની ફિલ્મ ‘થેંક ગૉડ’ મુશ્કેલીમાં ફસાતી જોવા મળી રહી છે. ફિલ્મનું ટ્રેલર જ્યારથી આવ્યુ છે તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ફિલ્મ પર ધાર્મિક ભાવનાને ઠેસ પહોચાડવાનો આરોપ લાગી રહ્યો છે. પહેલા ફિલ્મને લઇને સોશિયલ મીડિયા પર બોયકૉટ ટ્રેંડ જોવા મળ્યો હતો, પછી ઉત્તર પ્રદેશમાં ફિલ્મના કલાકારો અને ડિરેક્ટર ઇંદ્ર કુમાર વિરૂદ્ધ ફરિયાદ થઇ હતી. હવે લેટેસ્ટ જાણકારી છે કે કર્ણાટકમાં હિંદૂ જનજાગૃતિ સમિતીએ ટ્રેલર પર આપત્તિ વ્યક્ત કરી છે.
Advertisement
Advertisement
દેવતાઓની મઝાક ઉડાવવાનો આરોપ
‘થેંક ગૉડ’માં અજય દેવગણ સાથે સિદ્ધાર્થ મલ્હોત્રા અને રકુલ પ્રીત સિંહ મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મમાં અજય દેવગણે ચિત્રગુપ્તનો રોલ કર્યો છે, જે મૃત્યુ પછી તમામના પાપ અને પૃષ્ણનું હિસાબ-કિતાબ કરે છે. હિંદૂ જનજાગૃતિ સમિતીના પ્રવક્તા મોહન ગૌંડાએ કહ્યુ, ટ્રેલરમાં કલાકાર હિંદૂ દેવતાઓની મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. અમે અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામ પર ચિત્રગુપ્ત અને હિન્દૂ ધર્મના ભગવાન યમની મજાક ક્યારેય સહન નહી કરીએ. શું આ ટ્રેલરના રિલીઝ થવા સુધી સેંસર બોર્ડ ઉંઘી રહ્યુ હતુ?
સંસ્થાની માંગ છે કે સેન્સર બોર્ડ ફિલ્મને સર્ટિફિકેટ ના આપે, તેમણે એમ પણ કહ્યુ કે રાજ્ય અને કેન્દ્રીય ગૃહ મંત્રાલયોને ફિલ્મ પર પ્રતિબંધ લગાવવો જોઇએ કારણ કે તેનાથી ધાર્મિક ભાવનાને ઠેસ પહોચે છે, તેમણે ચેતવણી આપી છે કે રસ્તા પર વિરોધ પ્રદર્શન કરીશુ.
હિંદૂ જનજાગૃતિના રાષ્ટ્રીય પ્રવક્તા રમેશ શિંદેએ કહ્યુ, બોલિવૂડ હંમેશા હિંદૂ ધર્મના વિરૂદ્ધ કામ કરતા જોવા મળે છે, પછી પીકે જેવી મૂવી હોય કે હવે આવનારી થૈંક ગૉડ જેવી ફિલ્મ હોય. દરેક જગ્યાએ હિંદૂ દેવતાઓને હાસ્ય વિનોદના રૂપમાં બતાવવામાં આવે છે. હિંદૂ દેવતા, હિંદૂ ધર્મ કે હિંદૂ ગ્રંથ, તેમના વિશે હંમેશા ઠેસ પહોચાડવામાં આવે છે. શું હિંદૂંઓની ધાર્મિક ભાવનાને તમે નથી માનતા? અમે ફિલ્મ રિલીઝનો વિરોધ કરીએ છીએ.
ક્યારે રિલીઝ થશે ફિલ્મ
મહત્વપૂર્ણ છે કે થેંક ગૉડને ઇંદ્ર કુમારે ડિરેક્ટ કરી છે, તેના પ્રોડ્યૂસર ટી સીરિઝના ભૂષણ કુમાર છે. ફિલ્મ 25 ઓક્ટોબરે થિયેટરમાં રિલીઝ થશે.
Advertisement