સુરત: સુરતના લોકો અને મોટા હીરાના વેપારીઓ માટે ખૂબ જ ઉપયોગી એર ઈન્ડિયાની સુરત-દિલ્હી સાંજની ફ્લાઈટ 8મી માર્ચથી બંધ થશે. આ ફ્લાઇટથી સુરતથી સિંગલ પીએનઆર પર વિદેશ જવા માટે ફ્લાઇટની સુવિધા મળી રહી છે. ફ્લાઇટ બંધ થવાના કારણે સુરતથી સિંગલ પીએનઆર પર સીધા વિદેશ જતા મુસાફરોએ મુશ્કેલીનો સામનો કરવો પડશે. એર ઇન્ડિયાની આ ઇવનિંગ દિલ્હી ફ્લાઇટ સ્ટાર એલાયન્સ ગ્રુપમાં સામેલ છે.
Advertisement
Advertisement
બુકિંગ કરવામાં આવતુ નથી
આ ગ્રુપમાં વિશ્વની 26 મોટી એરલાઇન્સ કંપની સભ્ય છે. આ કંપનીઓનું એકબીજા સાથે ટાઇઅપ હોય છે. જેનાથી સિંગલ પીએનઆર પર વિદેશ જવાની સુવિધા મળી જાય છે. સુરતથી દરરોજ સાંજે દિલ્હી જતી ફ્લાઇટનું 8 માર્ચ પછી બુકિંગ કરવામાં આવતુ નથી. પહેલા આ ફ્લાઇટ 82 સીટર હતી પરંતુ સારો રિસપોન્સ મળતા તેને 170 સીટની કરવામાં આવી હતી.
સ્ટાર એલાયન્સમાં સામેલ થતા મળે છે આ લાભ
એર ઇન્ડિયાની ઇવનિંગ દિલ્હી ફ્લાઇટથી દિલ્હી જઇને ત્યાથી સિંગલ પીએનઆર પર અમેરિકા, બેંગકૉક, થાઇલેન્ડ, બ્રસેલ્સ અને અન્ય દેશમાં જઇ શકાય છે. આ સુવિધા સ્ટાર એલાયન્સ હેઠળ મળે છે. આ એક ગ્રુપ છે, જે સિંગર એર ટિકિટના પીએનઆર, ડેટા બનાવી રાખે છે. આ ગ્રુપમાં એર ઇન્ડિયા, એર કેનેડા, એર ન્યૂઝીલેન્ડ, લુફ્થાંસા, એર સ્વિસ, ટર્કિશ એરલાઇન, થાઇ એર, એર ચીન સહિત વિશ્વભરની કુલ 26 કંપની સામેલ છે.
હીરાના વેપારીઓને મુશ્કેલી થશે
એર ઇન્ડિયાની દિલ્હી ફ્લાઇટ બંધ થતા મુસાફરોએ સૂરતથી દિલ્હી જવુ પડશે. ત્યાથી અલગ ટિકિટ પર વિદેશની ફ્લાઇટ પકડવી પડશે. જેને કારણે સમયની સાથે પૈસાની પણ બરબાદી થશે. લગેજ માટે વધારાનો ચાર્જ પણ આપવો પડશે. બે મહિના પહેલા દિલ્હીની ફ્લાઇટ બંધ કરવામાં આવી તો સુરતથી દિલ્હી અને ત્યાથી વિદેશ જતા કેટલાક વેપારી ઓછા થઇ ગયા હતા. વિદેશ જવા માટે વેપારી મુંબઇ અને અમદાવાદ એરપોર્ટ જવા લાગ્યા હતા.
Advertisement