અમદાવાદ: અમદાવાદ-ઉદયપુર વચ્ચે પરિવર્તનનું કામ પૂર્ણ થયા પછી હવે આ ટ્રેક પર ટ્રેન દોડવા જઇ રહી છે. 31 ઓક્ટોબરથી આ નવા બ્રૉડગેજ ટ્રેક પર ટ્રેન દોડવા લાગશે. અમદાવાદના અસારવા રેલ્વે સ્ટેશનથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ નવી રેલ લાઇનનું ઉદ્દઘાટન કરશે અને ટ્રેનને લીલી ઝંડી બતાવશે. આ દરમિયાન રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહેશે. ટ્રેકના ઉદ્દઘાટન બાદ આ લાંબા અંતરની ત્રણ ટ્રેન દોડશે. આ રેલ લાઇન પર ટ્રેન ચાલતા મેવાડ અને વાગડની ગુજરાતના રસ્તે દક્ષિણ ભારત સુધી કનેક્ટિવિટી થઇ જશે.
Advertisement
Advertisement
ઉદયપુર સાંસદ અર્જૂનલાલ મીણાએ જણાવ્યુ કે રેલ મંત્રી સાથે વાત કર્યા બાદ આ નક્કી થઇ ગયુ કે 31 ઓક્ટોબરે સાંજે 6.30 વાગ્યે વડાપ્રધાન મોદી નવી રેલ લાઇનનું ઉદ્દઘાટન કરીને ટ્રેનને રવાના કરશે. સાંસદ અર્જુનલાલ મીણાએ શુક્રવારે જ રેલવે મંત્રીને પત્ર લખીને ટ્રેનને જલ્દી ચલાવવાની માંગ કરી હતી. આવી સ્થિતિમાં હવે તેમના પ્રયાસોને સફળતા મળી છે. મળતી માહિતી મુજબ હાલ આ નવી રેલ્વે લાઇન પર પ્રાથમિક રીતે ત્રણ ટ્રેનો ચલાવવામાં આવશે.
તેમાંથી ટ્રેન નંબર 20963 સવારે 5.30 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને સવારે 10.55 વાગ્યે અસારવા પહોંચશે. આ જ ટ્રેન અસારવાથી બપોરે 2.30 વાગ્યે ટ્રેન નંબર 20964 તરીકે ઉપડશે અને રાત્રે 8 વાગ્યે ઉદયપુર પહોંચશે. તેવી જ રીતે ઉદયપુરથી અસારવા માટે બીજી ટ્રેન નંબર 19703 દરરોજ સાંજે 5 વાગ્યે ઉદયપુરથી ઉપડશે અને રાત્રે 11 વાગ્યે અસારવા પહોંચશે. વળતી દિશામાં, ટ્રેન નંબર 19704 અસારવાથી સવારે 6.30 વાગ્યે ઉપડશે અને બપોરે 12.30 વાગ્યે ઉદયપુર પહોંચશે. ઉદયપુર સિટી સ્ટેશન ઉપરાંત ઉપરોક્ત બે ટ્રેન ઉમરાડા, જવર, જેસમંદ રોડ, સેમરી, ઋષભદેવ રોડ, ડુંગરપુર, બિછીવાડા, શામળાજી રોડ, હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, નાડોલ, દહેગામ, નરોડા અને સરદારગ્રામ સ્ટેશન પર સ્ટોપેજ હશે.
આ પણ વાંચો: વંદે ભારત ટ્રેનને ફરી નડ્યો અકસ્માત, વલસાડના અતુલ નજીક બની ઘટના
ટ્રેન જયપુરથી અસારવા વાયા ઉદયપુર સુધી દોડશે
આ નવી રેલ લાઇન પર જયપુરથી અસારવા વાયા ઉદયપુર તરીકે એક ટ્રેનને પણ મંજૂરી આપવામાં આવી છે. ટ્રેન નંબર 12981 જયપુરથી સાંજે 7.35 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 8.45 વાગ્યે અસારવા પહોંચશે. બદલામાં, ટ્રેન નંબર 12982 અસારવાથી સાંજે 6.45 વાગ્યે ઉપડશે અને બીજા દિવસે સવારે 7.45 વાગ્યે જયપુર પહોંચશે. આ ટ્રેનના સ્ટોપેજ ફૂલેરા જંકશન, કિશનગઢ, અજમેર, નસીરાબાદ, ભીલવાડા, ચંદેરિયા, માવલી જંકશન, રાણાપ્રતાપ નગર, ઉદયપુર, જાવર, ડુંગરપુર, શામળાજી રોડ, હિંમતનગર, નાડોલ, દહેગામ અને સરદાર ગ્રામ હશે.
Advertisement