અમદાવાદ: અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલી એક હૉસ્પિટલમાં આગ લાગતા દંપત્તી ભડથું થઇ ગયુ હતુ. બનાવની જાણ થતા જ ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર હૉસ્પિટલના પ્રથમ માળ પર આગ લાગી હતી અને આગ લાગતા ધૂમાડો ફેલાઇ ગયો હતો જેમાં ગૂંગળામણને કારણે હૉસ્પિટલમાં કામ કરતા પતિ-પત્નીના મોત થયા હતા.
Advertisement
Advertisement
નારણપુરાની મોદી આઇકેર હૉસ્પિટલમાં લાગી આગ
નારણપુરા વિસ્તારમાં મોદી આઇ કેર હૉસ્પિટલમાં આગમાં ગૂંગળામણને કારણે હોસ્પિટલમાં દેખરેખ રાખતા પતિ-પત્નીના મોત થયા છે. રાજસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના ઘરીયાવાદના રહેવાસી નરેશ પારઘી (ઉ.વ.25) અને તેમના પત્ની હર્ષાબેન પારઘી (ઉ.વ.24)નું ગૂંગળામણથી મોત થયુ હતુ.
નારણપુરા વિસ્તારમાં જયમંગળ બીઆરટીએસ બસ સ્ટેન્ડ પાસે આવેલી મોદી આઇકેર સેન્ટર નામની હૉસ્પિટલમાં મોડી રાત્રે આગ લાગી હતી. બનાવની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોચી ગયો હતો અને આગને કાબુમાં લેવાના પ્રયાસ કરાયા હતા. ફાયરબ્રિગેડ અનુસાર જ્યારે તે ઘટનાસ્થળે પહોચી તો આગ નહી પણ ધુમાડો જોવા મળતો હતો અને પલંગ પર એક મહિલા અને પુરૂષ મૃત હાલતમાં પડ્યા હતા.
Advertisement