અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ અમદાવાદ રેલવે સ્ટેશનનો પુનર્વિકાસનું કાર્ય 36 મહિના પૂર્ણ થશે. 2379ના ખર્ચે નવિનીકરણ થનારા અમદાવાદ રેલવે સ્ટેશનનું પુનર્વિકાસ કાર્યને શરુ કરી દેવામાં આવ્યું છે. પુનર્વિકાસનું કાર્ય 36 મહિના ચાલશે તેવું રેલવે વિભાગના માહિતી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું.
Advertisement
Advertisement
આ પરિયોજના હેઠળ નેશનલ હાઈ સ્પીડ રેલ ટર્મિનલ (બુલેટ ટ્રેન), મેટ્રો અને રેપિડ ટ્રાન્સપોર્ટ (બીઆરટી)ની સાથે મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ (એમએમટીએચ) તૈયાર કરાશે, જે પ્રવાસીઓ અને શહેરના નાગરિકોને ઉમદા પરિવહનનો અનુભવ કરાવાશે અને ટ્રાન્સપોર્ટેશન ક્ષેત્રે ગતિશીલતા આવશે.
આ સિવાય અહીં મલ્ટી લેવલ કાર પાર્કિંગ, સ્કાઈવોક, લેન્ડસ્કેપ પ્લાઝા વગેરેની વિશ્વ સ્તરીય સુવિધાઓ પ્રવાસીઓને અપાશે.
આ પુનર્વિકાસ પામનાર અમદાવાદ રેલવે સ્ટેશનમાં હેરિટેજનો વારસો અને નવી સિટી સેન્ટરનું સંયોજન જોવા મળશે. આ સમગ્ર સ્ટેશનના ભવનની ઈન્ટીરિયર મોઢેરા સૂર્ય મંદિરથી પ્રેરિત હશે.
કાલુપુર સ્ટેશન અમદાવાદ માટે નવું લેન્ડમાર્ક બનશે. રેલવે સ્ટેશનની અંદર આવેલા ઝુલતા મિનારાને સંરક્ષિત કરી અને સ્ટેશન પરિસરમાં સૌંદર્યપૂર્ણ નિર્માણ વિકાસ કરાશે.અડાલજની વાવને કેન્દ્ર સ્થાને રાખીને અહીં સુંદર એમ્ફી થિયેટર બનાવાશે. અહીં આવનાર પ્રવાસીઓ અમદાવાદ અને તેની આસપાસ આવેલા હેરિટેજ સ્થાપનોએ એક સ્થળ નિહાળે તેવી પરિકલ્પના કરાઈ.રેલવે સ્ટેશનનું નિર્માણ એ પ્રકારે કરાશે કે, અહીં આવનાર પ્રવાસીઓ માટે પ્લાઝા, સ્ટેશન પરિસરમાં ભીડભાડ થાય નહીં અને દિવ્યાંગોને અનુકૂળ સમગ્ર પરિસર નિર્માણ થશે.
Advertisement