નવી દિલ્હી: પ્રજાસત્તાક દિવસ પહેલા દિલ્હીમાં આતંકીઓના ષડયંત્રને નિષ્ફળ કરતા બે શંકાસ્પદની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસની સ્પેશ્યલ સેલે આતંકી સંગઠનો સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આરોપીઓમાં એક જગજીત સિંહ ઉર્ફ જગ્ગા (29) ઉત્તરાખંડના ઉધમ સિંહ નગરનો રહેવાસી છે જ્યારે બીજો નૌશાદ (56) દિલ્હીના જહાંગીરપુરીનો રહેવાસી છે. આરોપીઓ પાસેથી ત્રણ પિસ્ટોલ અને 22 જીવતા કારતૂસ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ખાલિસ્તાનીઓ સાથે સબંધનો શક
પોલીસે જગ્ગાના કેનેડામાં હાજર એક ખાલિસ્તાની આતંકવાદી સાથે સબંધ હોવાનો શક છે. પોલીસ અનુસાર બન્ને ઉત્તર પશ્ચિમ દિલ્હીના જહાંગીરપુરી વિસ્તારમાંથી પકડાયા હતા. ખાલિસ્તાનીઓ સાથે સબંધ રાખનારા કેટલાક અન્ય શંકાસ્પદોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.
નૌશાદના પહેલા પણ સંગઠનો સાથે સબંધ રહ્યા છે. તે આતંકી સંગઠન હરકત ઉલ અંસાર સાથે જોડાયેલો હતો. પોલીસે જણાવ્યુ કે નૌશાદ હત્યાના બે કેસમાં આજીવન કેદની સજા કાપી ચુક્યો છે. આ સાથે જ તે વિસ્ફોટક અધિનિયમ મામલે 10 વર્ષ જેલમાં રહ્યો છે. જોકે, હજુ સુધી આ સ્પષ્ટ થઇ શક્યુ નથી કે તે કઇ જેલમાંથી બહાર આવ્યો છે.
બંબીહા ગ્રુપ સાથે તાર જોડાયા
મળતી માહિતી અનુસાર જગજીત ઉર્ફ જગ્મા કુખ્યાત બંબીહા ગ્રુપનો સભ્ય છે. બંબીહા ગ્રુપ વિદેશથી સંચાલિત કરવામાં આવે છે. જગ્ગાને ત્યાથી આદેશ મળતા રહ્યા છે. તે ઉત્તરાખંડમાં હત્યાના એક કેસમાં પેરોલથી ફરાર થઇ ગયો હતો.
Advertisement