જયપુર: રાજસ્થાનમાં ફરી એક વખત સત્તા પર રહેલી કોંગ્રેસમાં આંતરિક ટકરાવ જોવા મળી રહ્યો છે. અશોક ગહેલોત વર્સિસ સચિન પાયલોટ વિવાદ ફરી ઉભો થયો છે. આ વચ્ચે કોંગ્રેસના ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીએ યુવાઓ અને રાજ્યના લોકોનો હવાલો આપતા સચિન પાયલોટને મુખ્યમંત્રી બનાવવાની માંગ કરી છે.
Advertisement
Advertisement
શું મુખ્યમંત્રીનો ચહેરો હશે સચિન પાયલોટ?
કોંગ્રેસ ધારાસભ્ય વેદ પ્રકાશ સોલંકીએ દાવો કર્યો કે સચિન પાયલોટને મુખ્યમંત્રીનો ચહેરો બનાવવા પર કોંગ્રેસ ફરી એક વખત સત્તામાં આવશે. સમાચાર એજન્સી સાથે વાતચીતમાં તેમણે કહ્યુ કે જો સચિન પાયલોટને નેતૃત્વ સોપવામાં આવે છે તો 100 ટકા સત્તા રિપીટ થશે. જનતા જો ઇચ્છે તો આ થવુ જોઇએ.
કોંગ્રેસના ધારાસભ્યએ કહ્યું કે, હું તો વારંવાર કહી રહ્યો છું કે રાજસ્થાનની જનતા અને યુવા ઇચ્છે છે કે સચિન પાયલોટ જો કોંગ્રેસનો ચહેરો હોત તો સરકાર ફરી બની શકે છે. હું સચિન પાયલોટ સાથે છું, જો તે ના હોત તો હું ચૂંટણી ના જીતી શક્યો હોત.
ઘરે-ઘરે કોંગ્રેસની નીતિઓ પહોચાડી
રાજસ્થાનમાં 9 મહિના પછી વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એવામાં સત્તા પર રહેલી કોંગ્રેસે ચૂંટણીની તૈયારીનો ડ્રાફ્ટ તૈયાર કરી લીધો છે અને પાર્ટી નેતાઓ અને કાર્યકર્તાઓને જનતા પાસે પહોચીને સરકારની સિદ્ધિ અને નીતિ ઘરે ઘરે પહોચાડવા કહ્યુ છે જ્યારે કોંગ્રેસની અંદર આંતરિક ટકરાવ જોવા મળી રહ્યો છે.
નેતૃત્વ પરિવર્તનની ફરી ચર્ચા
રાજસ્થાનમાં વિધાનસભા સત્ર સમાપ્ત થયા પછી ફરી એક વખત નેતૃત્વ પરિવર્તનને લઇને ચર્ચા શરૂ થઇ ગઇ છે. કહેવામાં આવે છે કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને હાઇકમાન કેટલાક બદલાવ કરવાની યોજના પર વિચાર કરી રહ્યુ છે. એવામાં પાર્ટી પ્રદેશ પ્રભારી સુખજિંદર સિંહ રંધાવાની કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને સંગઠન મહાસચિવ કેસી વેણુગોપાલ સાથે વાતચીત પણ થઇ હતી.
Advertisement