ઈન્ડોનેશિયાના બાલીમાં PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા પહોંચ્યા છે જ્યાં તેઓ વિશ્વના અનેક વડાઓને મળ્યા છે. આ દરમિયાન તેઓ બ્રિટિશ પીએમ ઋષિ સુનક સાથે પણ મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે પ્રથમ મુલાકાત બાદ ઋષિ સુનકે મહત્વનો નિર્ણય લીધો છે. ઋષિ સુનકે UKમાં કામ કરવા માટે ભારતીય યુવાનોને દર વર્ષે 3 હજાર વિઝા આપવાની જાહેરાત કરી છે. બ્રિટિશ સરકારનું કહેવું છે કે આવી યોજનાનો લાભ મેળવનાર ભારત પ્રથમ દેશ બની ગયો છે.
Advertisement
Advertisement
યુકેના વડાપ્રધાને કહ્યું કે, ‘આજે યુકે-ઈન્ડિયા પ્રોફેશનલ્સ સ્કીમની પુષ્ટિ થઈ છે. 18થી 30 વર્ષની વયના ભારતીય ડિગ્રીધારકોને યુકે આવવા તેમજ 2 વર્ષ માટે કામ કરવા માટે 3000 વિઝા ઓફર કરવામાં આવ્યા છે.’
ઉલ્લેખનીય છે કે, ઋષિ સુનક સરકારે આ નિર્ણય બાલીમાં પીએમ મોદીને મળ્યા બાદ લીધો છે. નોંધનીય છે કે, હાલમાં PM મોદી G-20 સમિટમાં ભાગ લેવા ઇન્ડોનેશિયાના બાલી છે. તેઓએ ગઈકાલે એટલે કે મંગળવારના રોજ બ્રિટિશના PM ઋષિ સુનક સાથે મુલાકાત કરી હતી. બ્રિટનના પીએમ બન્યા બાદ PM મોદી સાથે ભારતીય મૂળના ઋષિ સુનકની આ પ્રથમ મુલાકાત હતી.
ડાઉનિંગ સ્ટ્રીટે એક નિવેદનમાં જણાવ્યું કે, ‘આ યોજના ભારત સાથે શરૂ કરવામાં આવી છે. અમારા દ્વિપક્ષીય સંબંધો અને ભારત-પેસિફિક ક્ષેત્ર સાથે મજબૂત સંબંધો બાંધવા માટે, અમારી બંને અર્થવ્યવસ્થાઓને મજબૂત કરવા માટે યુકેની વ્યાપક પ્રતિબદ્ધતા બંને માટે આ એક મહત્વપૂર્ણ ક્ષણ છે.’
નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું કે, UKના ભારત-પ્રશાંત ક્ષેત્રના કોઈપણ અન્ય દેશ કરતા ભારત સાથે વધુ સંબંધો છે. યુકેમાં તમામ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાંથી લગભગ એક ક્વાર્ટર ભારતના છે. યુકેમાં ભારતીય રોકાણ 95,000 નોકરીઓને સમર્થન કરે છે.
Advertisement