ન્યૂયોર્ક: એલન મસ્ક (Elon Musk)એ ટ્વિટરને ખરીદતા જ કંપનીમાં કેટલાક મોટા નિર્ણય કર્યા છે, જેનાથી દરેક કોઇ ચોકી ગયુ છે, તેણે કંપનીના લગભગ અડધા લોકોની છટણી કરવાનો નિર્ણય કર્યો હતો. ઘણા લોકોને નોકરીમાંથી કાઢી પણ મુક્યા હતા. જોકે, હવે કેટલાક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે એલન મસ્કે આ લોકોને ફરી ટ્વિટર જોઇન કરવા કહ્યુ છે.
Advertisement
Advertisement
જે લોકોને પરત બોલાવવામાં આવ્યા છે તેમાંથી કેટલાકને ભૂલથી હટાવી દેવામાં આવ્યા હતા. મેનેજમેન્ટને આ વાતનો અહેસાસ થયો કે એલન મસ્કના નવા વિઝનને સાકાર કરવા માટે તેમાંથી કેટલાક લોકોની જરૂર પડશે, જેમણે નોકરીમાંથી બહાર કરવામાં આવ્યા હતા.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, એલન મસ્કના અધિગ્રહણ બાદ ખર્ચને ઓછુ કરવા માટે આ અઠવાડિયે મેઇલ દ્વારા 3,700 લોકોને નોકરીમાંથી બહાર કરવામાં આવ્યા હતા. હવે તેમાંથી કેટલાક કર્મચારીઓને પરત કંપનીમાં બોલાવવામાં આવી રહ્યા છે તો તેનાથી ખબર પડે છે કે છટણીની આ પ્રક્રિયા કેટલી જલ્દી હતી.
ટ્વિટરની અડધી વર્કફોર્સને સાફ કરી
Twitterમાં આવતા જ એલન મસ્કે પહેલા સૌથી પહેલા ભારતીય મૂળના સીઇઓ પરાગ અગ્રવાલ સહિત ત્રણ ટોચના અધિકારીઓને બહારનો રસ્તો બતાવ્યો હતો અને પછી એક પછી એક કર્મચારીઓની છટણી કરવામાં આવી હતી. કંપનીના પુરા બોર્ડને જ ફાયર કર્યા બાદ એલન મસ્કે 3700 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુક્યા હતા. આટલા મોટા સ્તર પર છટણી બાદ તેમણે પોતાની ભૂલનો અહેસાસ થયો અને તેમણે યૂ ટર્ન લઇ લીધો છે.
આ પણ વાંચો: Twitterમાં કર્મચારીઓની છટણી પર મસ્કે કહ્યુ- કોઇ વિકલ્પ બાકી નહતો, રોજ નુકસાન થતુ હતુ
જૈક ડોર્સીએ પણ ચિંતા વ્યક્ત કરી
એલન મસ્કે ટ્વિટરમાંથી બહાર કરવામાં આવેલા કર્મચારીમાંથી કેટલાક કર્મચારીઓને ફરી કામ પર પરત બોલાવી લેવાની અપીલ કરી છે. કંપની તરફથી કર્મચારીઓને ભલામણ કરવામાં આવી છે કે, Please Come Back. જોકે, રિપોર્ટમાં આ વાતનો ખુલાસો નથી કરવામાં આવ્યો કે મસ્કે કેટલા કર્મચારીઓને પરત કામ પર આવવા કહ્યુ છે. મહત્વપૂર્ણ છે કે ટ્વિટરમાં આટલા મોટા પાયા પર છટણીને લઇને કંપનીના પૂર્વ બૉસ જેક ડોર્સીએ પણ ચિંતા વ્યક્ત કરી હતી.
Advertisement