રમઝાન મહિનો ચાલી રહ્યો છે. આ દરમિયાન મુસ્લિમ બિરાદરો રોઝો ખોલ્યા પછી ફ્રૂટ લે છે. તેથી ફ્રૂટ ખાધા પછી તેનો ફાયદો આપણા શરીરને મળે તે જરૂરી છે. સ્વભાવિક છે કે, આપણે આપણા સ્વાસ્થ્યને સારા બનાવવા માટે ફ્રૂટ આરોગતા હોઇએ છીએ પરંતુ આપણી કેટલીક ભૂલોના કારણે ફાયદા થવાની જગ્યાએ નુકશાન થાય છે. આ નુકશાન માત્રને માત્ર કેટલાક ફ્રૂટ પર પાણી પીવાથી પણ થાય છે. તેથી કેટલાક ફળો એવા છે જેના સેવન બાદ પાણી પીવું ટાળવું જોઈએ. આવા જ કેટલાક ફળો વિશે આજે અમે તમને જણાવીશું.
Advertisement
Advertisement
જામફળ
મોટાભાગના લોકો જામફળ ખાધા બાદ પાણી પીતા હોય છે પરંતુ જામફળ ખાધા બાદ પાણી પીવું જોઈએ નહીં. કારણ કે આમ કરવાથી તમારું પાચન બગડી શકે છે. પાચન શક્તિ ન બગડે તે માટે જામફળ ખાધા બાદ પાણીનું સેવન ટાળવું જોઈએ.
સફરજન
સફરજન આમ તો સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકરક હોય છે. પરંતુ જો તમે તેનું સેવન કર્યા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. આથી સફરજન ખાધા બાદ પાણી ન પીવું જોઈએ.
દાડમ
દાડમ પોષકતત્વોથી ભરપૂર હોય છે. તેમાં આયર્ન અને એવા અનેક તત્વો હોય છે જે તમારા સ્વાસ્થ્ય માટે લાભદાયી રહે છે. પરંતુ જો તમે દાડમ ખાધા બાદ પાણી પીશો તો તે તમારા સ્વાસ્થ્ય માટે નુકસાનકારક બની શકે છે. આથી તેનું સેવન કર્યા બાદ પાણી ન પીવું જોઈએ.
કેળા
કેળા ખાધા બાદ પણ તરત પાણી પીવાથી બચવું જોઈએ. કારણ કે તેનાથી પણ પાચન સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. આથી કેળા ખાધા બાદ ભૂલેચૂકે પાણી પીવું જોઈએ નહીં.
નાસપતિ
નાસપતિનું સેવન કર્યા બાદ પાણી પીવાનું ટાળવું જોઈએ. કારણ કે જો તમે નાસપતિ ખાધા બાદ પાણી પીશો તો તમને શરદી કે ઉધરસની સમસ્યા થઈ શકે છે. આથી નાસપતિ ખાધા બાદ ભૂલેચૂકે પાણી ન પીવું જોઈએ.
Advertisement