ગુજરાત એક્સક્લૂઝિવ: વિપુલ ચૌધરીને જેલના સળીયા પાછળ ધકેલવાના કારણે બીજેપીથી ચૌધરી સમાજ ખુબ જ નારાજ છે. તેમાંય હવે અન્ય એક સમાજ પણ બીજેપીનું બહિષ્કાર કરવાની વાત કરી છે. ચૌધરી સમાજ વિપુલ ચૌધરીને સાઇડલાઈન કરવાના કારણે નારાજ છે તો પ્રજાપતિ સમાજની નારજગીનું કારણ ખુબ જ મોટું છે.
Advertisement
Advertisement
2022ની વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારોની પસંદગીની તૈયારીઓ પાછલા એક વર્ષથી પણ વધારે સમયથી બીજેપી દ્વારા કરવામાં આવી રહી હતી. જોકે, જેવા જ પોતાના મૂરતિયાઓના નામ જાહેર કર્યા કે અનેક જગ્યાએથી વિરોધ સામે આવવા લાગ્યો છે. આ બધા વચ્ચે એક મહત્વપૂર્ણ બાબત તે સામે આવી છે કે, બીજેપીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા તે પછી આખો પ્રજાપતિ સમાજ જ બીજેપીથી નારાજ થઇ ગયો છે. પ્રજાપતિ સમાજે ભાજપના ઉમેદવારોની યાદી જાહેર થયા પછી ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. કેમ કે અગાઉ પ્રજાપતિ સમાજે તેમને રાજકીય ભાગીદાર બનાવવા માટે ભાજપ સરકાર સામે માંગણી મૂકી હતી. તે અંગે સરકારના પ્રતિનિધિઓ તરફથી પ્રજાપતિ સમાજ માટે વિચારવા મૌખિક રીતે બાંહેધરી પણ અપાઈ હતી. જોકે, પ્રજાપતિ સમાજને અંતે નિરાશા જ હાથ લાગી છે.
બીજેપી દ્વારા પ્રજાપતિ સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ ન અપાતા સમાજના અધ્યક્ષ દિનેશ ભાઈ પ્રજાપતિએ સમાજ વતી બીજેપીનો બહિષ્કાર કરવાની વાત કરી છે. દિનેશ પ્રજાપતિએ પત્ર લખીને ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન દ્વારા 2022 વિધાનસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાની વાત કરી છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી: ભાજપના 160 બેઠક પર ઉમેદવારના નામ જાહેર, જાણો કઇ બેઠક પર કોણે મળી ટિકિટ
બીજેપી દ્વારા જાહેર કરાયેલી પોતાની પ્રથમ યાદીમાં પ્રજાપતિ સમાજને સંપૂર્ણ રીતે નજર અંદાજ કરવામાં આવતા આ ઓબીસી સમાજની લાગણી દૂભાઇ છે. સ્વભાવિક છે કે, પ્રજાપતિ સમાજે સામે ચાલીને સરકાર સમક્ષ રાજકીય ભાગીદારીની માંગ કરી હોવા છતાં પણ એકપણ વ્યક્તિને ટિકિટ ન અપાતા સમાજ દુ:ખી થયું છે. પ્રજાપતિ સમાજ વર્ષોથી બીજેપી સાથે જોડાયેલું રહ્યું છે. તેથી તે રાજકીય ભાગીદારીની માંગણી કરે તેમાં કંઇ ખોટું પણ નથી. તો બીજેપી સરકારે આ ચૂંટણીમાં આબીસીના અન્ય જ્ઞાતિના 49 ઉમેદવારોને ટિકિટ આપી છે. જેમાં કોળી, ઠાકોર, કારડીયા, આહિર, ચૌધરી, વાઘેર, મેર, ખારવા, ગોલા રાણા, મોદી, માળી પંચાલ અને બારોટ જ્ઞાતિઓનો સમાવેશ થાય છે. આ તમામ જ્ઞાતિઓની વસ્તી કરતાં પ્રજાપતિ સમાજની વસ્તી ગુજરાતમાં વધારે પ્રમાણમાં છે, તે છતાં પણ તે સમાજના ગણકારવામાં આવતો નથી.
દિનેશ પ્રજાપતિ દ્વારા પત્રમાં કહેવામાં આવ્યું છે કે, ગુજરાતમાં 40 લાખની વસ્તી ધરાવતો પ્રજાપતિ સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો હોવાથી ભાજપ પાસે આશા રાખીને બેઠો હતો કે ભાજપ પ્રજાપતિ સમાજને દસ ટિકિટ આપશે, પરંતુ 160 ઉમેદવારોની યાદીમાં એકપણ પ્રજાપતિ સમાજને ટિકિટ ન મળતા પ્રજાપતિ સમાજ ખુબ જ નારાજ છે.
ચૌધરી સમાજ પછી વધુ એક સમાજે ભાજપથી મોઢું ફેરવ્યું, પ્રજાપતિ સમાજ બીજેપનું કરશે બહિષ્કાર @BJP4Gujarat #GujaratElection2022 pic.twitter.com/lD294po2UN
— GujaratExclusive (@GujGujaratEx) November 11, 2022
દિનેશ પ્રજાપતિએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, તેઓ બીજેપીનું બહિષ્કાર કરીને વર્તમાન 2022ની ચૂંટણીમાં તેઓ બીજેપી વિરૂદ્ધ પ્રચાર કરીને તેને નુકશાન પહોંચાડશે.
બીજેપી માત્રને માત્ર સત્તા મેળવવા માટે જ કામ કરી રહી હોય તેવું સ્પષ્ટ રીતે દેખાઇ રહી છે. તેથી જ તો તે પાટીદાર સમાજને માથે બેસાડીને ચાલી રહી છે. આ ચૂંટણીમાં બીજેપી તરફથી પાટીદારોને 40 ટિકિટો ફાળવવામાં આવી છે. જેમાં લેઉવા પાટીદારોમાંથી 22 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, જ્યારે 18 કડવા પાટીદારોને ટિકિટની ફાળવણી કરવામાં આવી છે. સ્વર્ણ જ્ઞાતિઓની વાત કરીએ તો બ્રાહ્મણોને 10 ટિકિટ ફાળવવામાં આવી છે, તો ક્ષત્રિય સમાજને પણ 10 ટિકિટ આપવામાં આવી છે. તે ઉપરાંત જેન સમાજમાં ચાર, રાજપૂત સમાજના ઉમેદવારોને ત્રણ અનાવિલ સમાજને ત્રણ ટિકિટ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત ગુજરાતમાં જૂજ સંખ્યા ધરાવતા એવા લોહાણા, મરાઠી, હિન્દી અને સિંધી સમાજના લોકોને પણ એક-એક ટિકિટની ફાળવણી કરી છે.
જ્યારે પ્રજાપતિ સમાજની સંખ્યા ગુજરાતભરમાં 40 લાખથી વધારે હોવા છતાં અને વર્ષોથી બીજેપીની સેવા કરતો હોવા છતાં પણ તે સમાજના એકપણ વ્યક્તિને ટિકિટ આપવાનું બીજેપીએ વિચાર સુદ્ધા પણ કર્યો નથી. બીજેપીએ પોતાના 160 ઉમેદવારોમાં એકપણ ટિકિટ પ્રજાપતિ સમાજના વ્યક્તિને આપી નથી. તો અન્ય બચેલા 22 બેઠકોમાં પણ પ્રજાપતિ સમાજના વ્યક્તિને ટિકિટ આપવામાં આવે તેવી કોઇ જ શક્યતાઓ દેખાઇ રહી નથી.
ઘનઘોર રીતે પ્રજાપતિ સમાજને નજર અંદાજ કરવાના કારણે પ્રજાપતિ સમાજ ખુબ જ રોષે ભરાયું છે. સ્વભાવિક છે કે, પ્રજાપતિ સમાજ દાયકાઓથી બીજેપીનું સમર્થક રહ્યું છે. ગમે તેવી કપરી પરિસ્થિતિઓમાં પણ પ્રજાપતિ સમાજે બીજેપીનો સાથ છોડ્યો નથી. પરંતુ બીજી તરફ બીજેપી તરફથી ક્યારેય પ્રજાપતિ સમાજને સાથ આપવામાં આવ્યો હોય તેવું દેખાઇ રહ્યું નથી કે તેમના સમાજના લોકોના જીવન ધોરણને સુધારવામાં માટે મોટા પાયે અને સુવ્યવસ્થિત રીતે પગલાભર્યા હોય તેવું દેખાઇ રહ્યું નથી. પાછલા અનેક વર્ષોથી પ્રજાપતિ સમાજ બીજેપીનો પડછાયો બનીને તેની સાથે રહેતો આવ્યો છે પરંતુ આ વખતે સમાજે પોતાને નજર અંદાજ કરતાં બળવો પોકાર્યો છે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી 2022: ઘાટલોડિયા વિધાનસભા બેઠકે રાજ્યને 2 મુખ્યમંત્રી આપ્યા, પાટીદાર સમાજનો છે દબદબો
પ્રજાપતિ સમાજની માંગણી પણ કંઇ એટલી મોટી નહતી કે, તેને સંતોષી શકાય નહીં. પ્રજાપતિ સમાજ તરફથી સમાજને 10 ટિકિટ આપવાની માંગણી કરવામાં આવી હતી. સ્વભાવિક છે કે, બીજેપી 10 ટિકિટ ભલે ના આપે પરંતુ જૈન અને ક્ષત્રિય સમાજને જેટલી ટિકિટોની ફાળવણી કરી તેટલી ટિકિટ તો આપી જ શક્યું હોત. કેમ કે, ગુજરાતમાં પ્રજાપતિ સમાજની સંખ્યા જૈન કરતાં ઘણી વધારે છે. ગુજરાતમાં આ સમાજ પ્રતિનિધિત્વ કરી શકે તેટલી સંખ્યા ધરાવે છે. જોકે, વર્ષોથી આ સમાજને રાજકીય ભાગીદારી ન આપીને તેને વંચિત રાખવામાં આવ્યો છે. તે માટે જવાબદાર માત્ર ભાજપ જ છે.
Advertisement