નવી દિલ્હીઃ વિરોધ પક્ષોના સાંસદોએ અદાણી મુદ્દે EDને આવેદન પત્ર સોંપવા માટે સંસદથી ED કાર્યાલય સુધીની માર્ચ યોજી હતી. પરંતુ, વિપક્ષની આ માર્ચને વિજય ચોક પર જ અટકાવી દેવાઈ છે. અદાણીના મામલે 18 વિરોધ પક્ષોના નેતાઓએ આજે ભેગાં મળીને એક વ્યૂહનીતિ ઘડી કાઢી હતી અનેબધા સાંસદોની સહી સાથેના એક પત્રના પ્રસ્તાવને લઈને ઈડી કાર્યાલય સુધીની એક વિરોધ રેલી યોજી હતી. વિરોધપક્ષોના આ નિર્ણય બાદ વિજયચોક ખાતે સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવાઈ હતી.
Advertisement
Advertisement
કોંગ્રેસ અધ્યક્ષ મલિલ્કાર્જૂન ખડગેએ આ મામલા અંગે કહ્યું કે તેઓ અદાણી મામલે એક આવેદનપત્ર સોંપવામાટે ઈડી કાર્યાલય જઈ રહ્યા છે. પરંતુ, સરકાર અમને વિજય ચોકની નજીક પણ જવા દેતી નથી. લોકો પોતાના નાણાં સરકાર પર વિશ્વાસ સાથે બેંકોમાં રાખે છે અને તે નાણાં સરકાર એક વ્યક્તિને સરકારી સંપત્તિ ખરીદવા માટે આપી રહી છે.
અદાણી મામલે મોદી સરકાર પર નિશાન સાધતાં ખડગેએ કહ્યું કે મોદીજી તેવા લોકોને પ્રોત્સાહન આપી રહ્યા છે, જે વ્યક્તિએ રૂ.1650 કરોડ સાથે પોતાની કારકિર્દીની શરૂઆત કરી અને હાલ તેમની પાસે રૂ.13 લાખ કરોડની સંપત્તિ છે. આ સમગ્ર મામલાની નિષ્પક્ષ તપાસ થાય તેમ અમે ઈચ્છીએ છીએ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અદાણી વચ્ચે શું સંબંધ છે ?
દરમિયાન, પોલીસ દ્વારા વિપક્ષની રેલીને અટકાવવાની ઘટના અંગે મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા દિગ્વિજય સિંહે કહ્યું કે લોકશાહીને ખતમ કરવાનો અને રશિયા તથા ચીન જેવી નિયંત્રિત લોકશાહી લાવવાનો તેમનો (ભાજપા)નો પ્રયાસ છે.
અદાણી મામલાની JPC તપાસની માગણી અંગે કોંગ્રેસ સાંસદ અધીર રંજન ચૌધરીએ કહ્યું કે સરકાર જાણે છે કે તે આપણી JPCની માગણીનો સ્વીકાર કરી લેશે પ્રજા સમક્ષ તેઓ ખૂલ્લાં પડી જશે. ભાજપાના બધા જ ભ્રષ્ટાચાર સામાન્ય લોકોની સામે જ પૂરવાર થઈ જશે.
Advertisement