સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબી દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધ બાદ અભિનેતા અરશદ વારસીની પ્રતિક્રિયા આવી છે.
Advertisement
Advertisement
અર્શદ વારસીએ ટ્વીટ કર્યું, “સમાચારોમાં વાંચેલી તમામ બાબતો પર વિશ્વાસ ન કરો. મારી પત્ની મારિયા અને મને શેરબજારની ઝીરો સમજ છે. અમે સલાહ લીધી અને શારદામાં રોકાણ કર્યું. અન્ય ઘણા લોકોની જેમ, અમે પણ અમારી મહેનતના પૈસા ગુમાવ્યા.
બુધવારે ફિલ્મ અભિનેતા અર્શદ વારસી અને તેની પત્ની પર સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીએ પ્રતિબંધ લગાવ્યો હતો.
આ પ્રતિબંધ શેર પંપ અને ડમ્પ કેસ સાથે સંબંધિત છે.
‘શેર પંપ એન્ડ ડમ્પ’ એટલે શેરની કિંમત વધારવા અથવા ઘટાડવાના હેતુસર ખોટી માહિતી આપવી.
ન્યૂઝ એજન્સી પીટીઆઈના જણાવ્યા અનુસાર સેબીએ 31 કંપનીઓ અને ફર્મ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ગોરેટી અને સાધના બ્રોડકાસ્ટ સાથે સંકળાયેલા પ્રમોટર્સનો સમાવેશ થાય છે.
આરોપ છે કે આ લોકોએ યુટ્યુબ પર ખોટી માહિતી સાથે વીડિયો અપલોડ કર્યો જેથી રોકાણકારો શેર ખરીદી શકે.
Advertisement