જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પૂંછ (Poonch)માં ગમખ્વાર અકસ્માત થયો છે. સૌજિયા વિસ્તારમાં એક મીનિ બસ ખાઈમાં ખાબકી છે. આ અકસ્માતમાં અત્યાર સુધી 11 લોકોના મોત થઈ ચૂક્યા છે. જ્યારે અનેક લોકો ગાયલ થયા છે, જેમણે મંડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના સ્થળે રાત-બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
જાણકારી અનુસાર દૂર્ઘટના તે સમયે ઘટી જ્યારે બસ પૂંછ જિલ્લાના સૌજિયાથી મંડી તરફ જઈ રહી હતી. અકસ્માત પછી સ્થાનિક લોકોએ પોલીસ અને સેનાને સૂચના આપી અને યુદ્ધના ધોરણે બચાવ અભિયાન શરૂ કરી દેવામાં આવ્યો.
આ પણ વાંચો- સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે સરકાર 3000 કરોડ ખર્ચતી હોય તો બિરસા મુંડાની પ્રતિમા માટે કેમ નથી ખર્ચતી: છોટુ વસાવા
ઘટના પછી વળતરની જાહેરાત
જમ્મુ-કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા (LG Manoj Sinha)એ પૂંછ અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યો છે. તેમને પ્રત્યેક મૃતક પરિવારના સભ્યોને 5-5 લાખ રૂપિયાની સહાયતા રાશિ આપવાની જાહેરાત કરી છ. તે ઉપરાંત અધિકારીઓને ઈજાગ્રસ્ત લોકોને સારી સારવાર ઉપલબ્ધ કરાવવા માટે નિર્દેશ આપ્યા છે.
Saddened by loss of lives due to a road accident in Sawjian, Poonch. Condolences to bereaved families. May the injured recover soon. Rs. 5 lakh would be given to the next of kin of deceased. Directed Police and Civil authorities to provide best possible treatment to the injured.
— Office of LG J&K (@OfficeOfLGJandK) September 14, 2022
Advertisement