નવી દિલ્હી: ભારતના 11માં રાષ્ટ્રપતિ અને મિસાઇલ મેન અવુલ પાકિર જૈનુલાબ્દીન અબ્દુલ કલામ (APJAbdulKalam)ની આજે 91મી જન્મ જયંતી છે. અબ્દુલ કલામનો જન્મ 15 ઓક્ટોબર, 1931માં તમિલનાડુના રામેશ્વરમમાં એક સામાન્ય પરિવારમાં થયો હતો. અબ્દુલ કલામના પિતા જૈનુલાબ્દીન અબ્દુલ કલામ અને માતાનું નામ આશિમા જૈનુલાબ્દીન હતુ. કલામના પિતા તેમણે કલેક્ટર બનાવવા માંગતા હતા પરંતુ તે સમયે કોઇને ખબર નહતી કે ભારતીય ઇતિહાસમાં તેમનું નામ ગોલ્ડન અક્ષરમાં લખવામાં આવશે. અબ્દુલ કલામનું બાળપણ ગરીબીમાં વિત્યુ હતુ. પિતા માછીમારોને નાવ ભાડા પર આપીને 10 બાળકોનું પાલન-પોષણ કરતા હતા. આ કારણે કલામે પણ નાની ઉંમરમાં જ પૈસાની કિંમત સમજી લીધી હતી.
Advertisement
Advertisement
આંબલીના બીજથી રોજ કમાતા હતા એક આનો
1939માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન કલામ માત્ર 8 વર્ષનો હતો જ્યારે તેમમે રોજના એક આનો કમાવવાનું શરૂ કરી દીધુ હતુ. તે સમજી શકતા નહતા કે અચાનક આંબલીના બીજ મોંઘા કેમ થઇ ગયા. ડૉ. એપીજે અબ્દુલ કલામના લેખક સચિન સિંહલ પોતાના પુસ્તકમાં લખે છે કે કલામને પણ ખબર નહતી કે કેમ આંબલીના બીજના ભાવ વધી ગયા પરંતુ તેમણે આંબલીના બીજને ભેગા કરવાનું શરૂ કરી દીધુ હતુ.
તે આંબલીના બીજ ભેગા કરતા હતા અને મસ્જિદ પાસેના રસ્તા પર વેચી આવતા હતા, જેનાથી દિવસભરમાં તેમણે એક આનાની કમાણી થઇ જતી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આંબલીના બીજને પીસીને એક ખાસ પાવડર બનાવવામાં આવતો હતો, જેનો ઉપયોદ યુદ્ધમાં કામ કરનારી ગાડીઓના ઇંધણ બનાવવા માટે કરવામાં આવતો હતો.
સ્ટેશન પર અખબાર ફેકવાનું કામ કર્યુ
કલામ પોતાના કાકાના ભાઇ શમસુદ્દીનથી પ્રેરિત હતા. શમસુદ્દીન તે સમયે સ્ટેશન પર અખબાર ઉતારવાનું કામ કરતા હતા. વર્લ્ડ વૉર 2ના સમયે ભારતને અલાઇડ ફોર્સેજ જોઇન કરવા માટે કહેવામાં આવ્યુ, દેશમાં ઇમરજન્સી જેવી સ્થિતિ બની ગઇ હતી. રામેશ્વરમ અને ધનુષકોડી સ્ટેશન પર ટ્રેન રોકાવી બંધ થઇ ગઇ. જ્યા પહેલા અખબાર ટ્રેનથી ઉતારવામાં આવતા હતા, હવે ફેકવામાં આવતા હતા. શમસુદ્દીનને તે સમયે એક સાથીની જરૂરત હતી, ત્યારે કલામે ટ્રેનમાંથી અખબારના બંડલ ફેકવાનું કામ કરવાનું શરૂ કરી દીધુ, માટે તેમણે મહેનતાણુ મળતુ હતુ.
આ પણ વાંચો: #બેઠકપુરાણ મહેમદાવાદઃ વિખ્યાત ભમ્મરિયા કૂવામાં ડૂબેલી કોંગ્રેસ આ વખતે બહાર નીકળી શકશે?
વર્ષ 2002માં રાષ્ટ્રપતિ બન્યા હતા અબ્દુલ કલામ
ભારત સરકારે 1981માં કલામ સાહેબને પદ્મ ભૂષણ અને પછી 1990માં પદ્મ વિભૂષણ અને 1997માં દેશના સર્વોચ્ચ નાગરિક સમ્માન ભારત રત્નથી નવાજ્યા હતા. ભારત રત્ન મેળવનારા તે દેશના ત્રીજા રાષ્ટ્રપતિ છે અને તે પહેલા સર્વપલ્લી રાધાકૃષ્ણન અને જાકિર હુસૈનને ભારત રત્ન આપવામાં આવ્યો હતો. એપીજે અબ્દુલ કલામને 1992માં 1999માં સંરક્ષણ સલાહકાર નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ દરમિયાન અટલ બિહારી વાજપેયીની સરકારે 1996માં પોખરણમાં બીજી વખત પરમાણુ પરીક્ષણ કર્યુ હતુ. અબ્દુલ કલામને 2002માં ભારતના 11માં રાષ્ટ્રપતિ ચૂંટવામાં આવ્યા હતા.
એક મિશનમાં કલામને NASA મોકલવામાં આવ્યા
એપીજે અબ્દુલ કલામને એક મિશન પર અમેરિકા મોકલવામાં આવ્યા હતા, તેમણે 6 મહિનામાં કેટલીક વસ્તુ વિશે જાણવાનું હતુ પરંતુ એક દિવસ અમેરિકન અવકાશ એજન્સી (NASA)માં તેમણે કઇક જોયુ, જેનાથી તેમની છાતી ગર્વથી ફુલાઇ ગઇ હતી. આ કહાની દરેક ભારતીયને પોતાના ગૌરવશાળી ઇતિહાસ પર ગર્વ કરવાની તક આપે છે. આજે અમેરિકા, રશિયાની વાતો થતી રહે છે પરંતુ હજારો વર્ષ પહેલા ભારત કેટલુ આગળ હતુ, આ કલામે નાસામાં અનુભવ કર્યો હતો. વર્ષ 1962 અડધુ વીતી ગયુ હતુ. કેરળમાં ત્રિવેન્દ્રમ (તિરૂવનંતપુરમ) પાસે માછીમારોના એક ગામ થુંબામાં રૉકેટ લૉન્ચિંગ સ્ટેશન બનાવવાનો નિર્ણય થઇ ચુક્યો હતો. આ ભારતમાં આધુનિક રૉકેટ પર આધારિત રિસર્ચની શરૂઆત હતી. ત્યા એક ચર્ચ હતુ, જેના બિશપે આ પ્રોજેક્ટ માટે જમીન અપાવવામાં મદદ કરી હતી. સેંટ મૈરી મેગડેલિન ચર્ચ થુંબા સ્પેસ સેન્ટરની પ્રથમ ઓફિસ બન્યુ. પ્રેયર રૂમ કલામની પ્રથમ લેબોરેટરી હતી. થોડા સમય પછી કલામને સાઉંડિંગ રૉકેટ લૉન્ચિંગ ટેકનિક પર ટ્રેનિંગ માટે છ મહિનાની ટ્રેનિંગ લેવા અમેરિકા મોકલવામાં આવ્યા હતા. ત્યા તેમણે નાસાના વર્ક સેન્ટરો પર કામ કરવાનું હતું.
રિસેપ્શન લૉબીમાં લટકી હતી પેઇન્ટિંગ
1963માં એપીજે અબ્દુલ કલામે વર્જીનિયામાં નાસાના લૈંગ્લે રિસર્ચ સેન્ટર (LRC)માં કામ શરૂ કર્યુ, તેમણે એડવાન્સ્ડ એરોસ્પેસ ટેકનોલૉજીને શીખી હતી. અહીથી તે મેરીલેન્ડના સ્પેસ ફ્લાઇટ સેન્ટર (GSFC) ગયા હતા. અહી પર નાસા માટે મોટાભાગના સેટેલાઇટ વિકસિત અને મેનેજ કરવામાં આવતા હતા. પોતાની ટ્રેનિંગ દરમિયાન અંતમાં તે ઇસ્ટ કોસ્ટમાં વૈલપ્સ આઇલેન્ડ સ્થિત વેલપ્સ ફ્લાઇટ ફેસિલિટી ગયા. આ નાસાના સાઉડિંગ રૉકેટ પ્રોગ્રામ બેસ હતુ. પોતાના પુસ્તક વિંગ્સ ઓફ ફાયરમાં કલામ લખે છે, ‘અહી રિસેપ્શન લૉબીમાં મે એક પેઇન્ટિંગ જોઇ જેને મુખ્ય રીતે પ્રદર્શિત કરવામાં આવી હતી. જેમાં એક લડાઇનું દ્રશ્ય જોવા મળતુ હતુ, જેમાં બેકગ્રાઉન્ડમાં કેટલાક રૉકેટ ઉડતા જોવા મળી રહ્યા હતા. ફ્લાઇટ ફેસિલિટીમાં આ રીતની થીમ ધરાવતી પેઇન્ટિંગ સામાન્ય વાત હતી પરંતુ પેઇન્ટિંગની એક વાતે મારૂ ધ્યાન ખેચ્યુ અને તે હતુ રૉકેટ છોડી રહેલા સૈનિક ગોરા નહતા પણ તેમની સ્કિન ડાર્ક હતી. આ સાઉથ એશિયાનું સીન બતાવવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: ‘દુનિયાનો સૌથી ખતરનાક દેશ છે પાકિસ્તાન’- અમેરિકન રાષ્ટ્રપતિ બાઇડન
અમરિકામાં ભારતીય સુલતાનના ગુણગાન
કલામ લખે છે કે તે પેઇન્ટિંગ તેમની અંદર કેદ થઇ ગઇ હતી. જિજ્ઞાશા ત્યારે શાંત થઇ જ્યારે ખબર પડી કે આ દ્રશ્ય ટીપૂ સુલતાનની સેનાનું બતાવવામાં આવ્યુ છે જે અંગ્રેજો સામે લડી રહી છે. તે લખે છે કે ધરતીના બીજા છેડા પર આ પેઇન્ટિંગ દ્વારા યુદ્ધમાં રૉકેટનો ઉપયોગ કરવાની સુલતાનની દ્રષ્ટિના ગુણગાન કરવામાં આવી રહ્યા છે જ્યારે ટીપૂ સુલતાનના પોતાના દેશમાં લોકો આ વાતને જાણતા નથી અને મહ્તવ નથી આપતા.
તે પેઇન્ટિંગ તેમના દિલને ભાવી ગઇ હતી. ભારત પરત ફર્યાના કેટલાક સમય બાદ જ 21 નવેમ્બર 1963માં ભારતનો પ્રથમ રૉકેટ લૉન્ચ થયો. આ સાઉન્ડિંગ રૉકેટ હતો જે નાસામાં બન્યો હતો. જોકે, તેને ચર્ચ બિલ્ડિંગમાં અસેમ્બલ કરવામાં આવ્યો હતો.
Advertisement