વિશાલ મિસ્ત્રી રાજપીપલા: ગુજરાત પ્રદેશ BTP કાર્યકારી અધ્યક્ષ ચૈતરભાઈ વસાવા BTP સાથે છેડો ફાડી આમ આદમી પાર્ટી સાથે જોડાતા રાજકીય મોરચે ખળભળાટ મચ્યો હતો.એવું માનવામાં આવી રહ્યું છે કે ડેડીયાપાડા બેઠક માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૈતરભાઈ વસાવાને ઉતારવામાં આવી શકે છે.
Advertisement
Advertisement
જો એમ થાય તો ડેડીયાપાડા ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીધી ટક્કર થવાની સંભાવનાઓ રહેલી છે.આ તમામની વચ્ચે ડેડીયાપાડામાં આમ આદમી પાર્ટીના ચૈતરભાઈ વસાવાએ પંજાબ સરકારના કેબિનેટ મંત્રીની ઉપસ્થિતિમાં જંગી રેલી કાઢી શક્તિ પ્રદર્શન કરતાં BJP, કોંગ્રેસ અને BTP ની ચિંતામાં વધારો કરી દિધો છે.
આ વખતે વિધાનસભા ચૂંટણીમાં ડેડીયાપાડા બેઠક પર ચતુષ્કોણીય જંગ જામશે.એમાં સૌથી મોટું નુકસાન BTP એ ભોગવવું પડી શકે એવું રાજકીય પંડિતોનું કેહવુ છે, એ જ કારણોસર હાલના ધારાસભ્ય મહેશભાઈ વસાવા પોતાની ડેડીયાપાડા બેઠક બદલી પોતાના પિતાની ઝઘડિયા બેઠક પરથી ઉમેદવારી નોંધાવે સંભાવનાઓ પણ વ્યક્ત કરાઈ રહી છે.
ચૂંટણીમાં ખરાખરીનો જંગ જામે એ પેહલા ડેડીયાપાડામાં ચૈતરભાઈ વસાવા દ્વારા એક જંગી રેલીનું આયોજન કરાયું હતું.જેમાં પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરા, આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ નિરંજનભાઈ વસાવા સહીત મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ડેડીયાપાડામાં આવેલા પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અમન અરોરાએ ડેડીયાપાડાના બજારમાં ડોર ટુ ડોર ફરી જન સંવાદ કાર્યક્રમ કર્યો હતો.અમન અરોરાએ ભાજપ પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે મોદી 12 સભા કરે કે 120 કે 1200 સભા કરે કોઈ ફેર પડતો નથી, ગુજરાતની પ્રજાએ હવે 27 વર્ષના ભાજપના શાસનને ધ્વસ્ત કરવાનું નક્કી કરી લીધું છે.
મોદીની વાતોથી ગુજરાતની પ્રજા કંટાળી ગઈ છે.મોદીએ ગુજરાતનાં ખોટા વિકાસ મોડેલને દેશને વેચી પોતે વડાપ્રધાન બની ગયા છે.પણ અહીંયા લોકોના હાલ બે હાલ છે.તેઓ આખા દેશમાં ગુજરાતને વિકાસ મોડલ ગણાવી આખા દેશને ઉલ્લુ બનાવે જાય છે હવે આ વખતે મતદારોમાં એક વિશ્વાસ જોયો છે.
Advertisement