ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ રાજકીય પાર્ટીઓ મતદારોને આકર્ષવા માટે અવનવા હથકંડા અપનાવી રહ્યા છે. રાજ્યમાં આ વખતે ભાજપ,કોંગ્રેસ સિવાય આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની AAPએ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી છે જેમાં 12 વિધાનસભા બેઠકના ઉમેદવારના નામ જાહેર કરવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
આમ આદમી પાર્ટીએ જાહેર કરી ઉમેદવારોની ચોથી યાદી
આમ આદમી પાર્ટી (AAP)એ હિંમતનગરથી નીર્મલસિંહ પરમારને ટિકિટ આપી છે જ્યારે ગાંધીનગર દક્ષિણમાં દોલત પટેલને ઉમેદવાર બનાવ્યા છે. સાણંદમાં કુલદીપ વાઘેલાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. અમદાવાદના વટવામાં બિપિન પટેલ, અમરાઇવાડીમાંથી ભરતભાઇ પટેલને ટિકિટ આપવામાં આવી છે. કેશોદમાં રામજીભાઇ ચુડાસમાને ઉમેદવાર બનાવવામાં આવ્યા છે.
મધ્ય ગુજરાતની વાત કરીએ તો ઠાસરામાં નટવરસિંહ રાઠોડને ટિકિટ આપવામાં આવી છે જ્યારે શેહરામાં તખ્તસિંહ સોલંકીને ઉમેદવાર બનાવ્યા છે. આમ આદમી પાર્ટીએ પંચમહાલના કાલોલમાં દિનેશ બારીયાને ઉમેદવાર બનાવ્યા છે જ્યારે ગરબાડામાં શૈલૈષભાઇ કનુભાઇ ભાભોરને ટિકિટ આપી છે. લિંબાયતમાંથી પંકજ તાયડે અને ગણદેવીમાં પંકજ એલ પટેલને ટિકિટ આપી છે.
AAPના વિધાનસભા ચૂંટણીના ઉમેદવાર
આમ આદમી પાર્ટીએ 41 ઉમેદવારની જાહેરાત કરી
આમ આદમી પાર્ટીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે અત્યાર સુધી 182 બેઠકમાંથી 41 ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આમ આદમી પાર્ટીએ આ પહેલા ત્રણ યાદીમાં 29 ઉમેદવારોની જાહેરાત કરી હતી. જોકે, હજુ સુધી ભાજપ અને કોંગ્રેસે એક પણ ઉમેદવારની જાહેરાત કરી નથી.
ગુજરાત કોંગ્રેસ 15 તારીખ પહેલા ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી શકે છે. પ્રથમ યાદીમાં 50 ઉમેદવારોના નામ હોઇ શકે છે. કોંગ્રેસ પોતાના મોટાભાગના જીતેલા ઉમેદવારોને રિપિટ કરે તેવી શક્યતા છે જ્યારે 2-4 ધારાસભ્ય પોતાની બેઠક બદલાવી શકે છે.
Advertisement