ફ્રીજ એક એવું ઉપકરણ છે કે જે મોટાભાગના આપણે બધાએ નાનપણથી જોયું છે. કેટલાક લોકો તેને રસોડામાં રાખે છે તો કેટલાક તેને રૂમ કે હોલમાં રાખે છે. જો કે ફ્રિજ હોય કે ટીવી, આપણે તેને ઘરમાં આપણી જગ્યા પ્રમાણે ફિટ કરીએ છીએ અને મોટાભાગે આપણે જોયું છે કે આપણે તેને દિવાલને અડીને રાખીએ છીએ. પરંતુ શું તમે જાણો છો કે તેને ગોઠવવાની પણ એક યોગ્ય રીત છે અને તે છે તેને દિવાલથી એક નિશ્ચિત અંતર પર જ રાખવુ જોઈએ.
Advertisement
Advertisement
નિષ્ણાતો કહે છે કે ફ્રિજ દિવાલથી 6-10 ઇંચ દૂર હોવું જોઈએ. તમને સવાલ થશે કે આવું શા માટે કહેવાય છે? ચાલો જાણીએ વિગતવાર જવાબ. રેફ્રિજરેટરને અંદરથી ઠંડુ રાખવા માટે સખત મહેનત કરવી પડે છે. આ પ્રક્રિયા દરમિયાન પાછળની જાળી દ્વારા ગરમી છોડવામાં આવે છે. આ કારણોસર, તે પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કે તમે તમારા ફ્રિજને સીધી દિવાલની બાજુમાં ન રાખો.
જો તમે આવું કરો તો ગરમ હવા ખૂબ સારી રીતે ત્યાંથી અવરજવર કરી શકશે નહીં. અને એટલા માટે પછી તમારા રેફ્રિજરેટરને અંદર ઠંડુ રાખવા માટે વધુ સખત મહેનત કરવી પડશે અને તેથી વધુ વીજળી વપરાશે.
ગરમીના બીજા સ્ત્રોતોથી અંતર પણ મહત્વનું છે: તમારા રેફ્રિજરેટરને દિવાલથી દૂર રાખવા ઉપરાંત, તેને હીટર અથવા અન્ય ગરમીના સ્ત્રોતની નજીક ન રાખવું પણ મહત્વપૂર્ણ છે. એટ્લે કિચનમાં રાખતા હોવ તો એ પણ જરા જોઈ લેજો.
જો તમે આવી ભૂલ કરો છો, તો તાપમાનમાં ઘણો તફાવત આવશે, જે ફ્રિજમાં વધુ કંડેંસેશન તરફ લઈ જઇ શકે છે. આ પછી તમારું રેફ્રિજરેટર અંદરથી ભીનું થઈ જશે અને બરફ બનશે, જે કોઈપણ ફ્રિજ માટે સારું નથી.
Advertisement