અમદાવાદ: અમદાવાદમાં દિલ્હી માટે ઉડાન ભરનારી અકાસા એરની ફ્લાઇટ ક્યૂપી 1333 સાથે પક્ષી ટકરાયુ હતુ. આ ઘટના બાદ વિમાનની ઇમરજન્સી લેન્ડિંગ કરાવવી પડી હતી. તમામ મુસાફરોને સુરક્ષિત ઉતારી દેવામાં આવ્યા હતા. અકાસા એરના પ્રવક્તાએ જાણકારી આપતા કહ્યુ કે આ ઘટના બાદ વિમાનને તપાસ માટે લાવવામાં આવ્યું છે.
Advertisement
Advertisement
ન્યૂઝ એજન્સીના રિપોર્ટ અનુસાર, અકાસા એરના પ્રવક્તાએ જણાવ્યુ કે આ ઘટના બાદની ફ્લાઇટ પ્રભાવિત થઇ છે અને અમારી ગ્રાહક સેવા ટીમ મુસાફરોની સહાયતા કરી રહી છે અને તેમની યાત્રાને સરળ બનાવવા માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો: 71 સૈનિક, મોટા હથિયાર લઇ જનારા C-295ને વડોદરામાં બનાવશે Tata-Airbus
ગત વર્ષની તુલનામાં આ વર્ષે વિમાન સાથે પક્ષી ટકરાવવાની ઘટના ઘણી વધી ગઇ છે. જેનું મુખ્ય કારણ વિમાનની મુસાફરી વધવાનું છે. ઘણા શહેરોમાં અપૂરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નબળું વેસ્ટ મેનેજમેન્ટ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. ભારતના એવિએશન રેગ્યુલેટર ડીજીસીએના ડેટા અનુસાર, ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી જુલાઈ સુધીમાં ભારતમાં પક્ષીઓના વિમાનો સાથે અથડાવાના કેસમાં 49.3 ટકાનો વધારો થયો છે.
Advertisement