અયોધ્યા: ઉત્તર પ્રદેશના અયોધ્યામાં ભગવાન રામના ભવ્ય મંદિરનું નિર્માણ કાર્ય ઝડપથી ચાલી રહ્યુ છે. ડિસેમ્બર 2023 સુધી અહી રામ મંદિર બનીને તૈયાર થશે, જે બાદ જાન્યુઆરી 2024 સુધી ભગવાન પોતાના ગર્ભગૃહમાં વિરાજમાન થઇ જશે. એવામાં અયોધ્યા આવતા શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધતી જઇ રહી છે, જેને જોતા સરકાર સતત અયોધ્યાના વિકાસને લઇને કામ કરી રહી છે. હવે રામનગરીમાં વિશ્વની સૌથી ઉંચી 251 મીટર રાજા રામની પ્રતિમા લગાવવાની તૈયારી પણ શરૂ કરી દેવામાં આવી છે, જેનું નિર્માણ ગુજરાતના કેવડિયામાં સ્થિત સ્ટેચ્યૂ ઓફ યૂનિટી બનાવનારા પદ્મ શ્રીથી સમ્માનિત મૂર્તિકાર અનિલ સુતાર કરશે.
Advertisement
Advertisement
મહત્વપૂર્ણ છે કે અત્યારે વિશ્વની સૌથી ઉંચુ સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઇ પટેલના રૂપમાં સ્ટેચ્યૂ ઓફ યૂનિટી છે. આ 182 મીટર ઉંચી છે. ભાજપની ડબલ એન્જિનની સરકારની યોજના અયોધ્યાને વિશ્વના માનચિત્ર પર સ્થાપિત કરવાનું છે, જેની હેઠળ અહી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ, આંતરરાજ્ય બસ સ્ટેશન અને અયોધ્યા ધામ રેલ્વે સ્ટેશન બનીને લગભગ તૈયાર થઇ ગયુ છે. અયોધ્યામાં નેશનલ હાઇવેના કિનારાને ભગવાન રામના બાલ્ય અવસ્થાથી લઇને રાજ્યાભિષેક સુધી મૂર્તિથી સજાવવામાં આવ્યુ હતુ.
આ પણ વાંચો: કર્ણાટક: ઐતિહાસિક મદ્રસામાં ઘુસીને ભીડે કરી પૂજા, 9 લોકો વિરૂદ્ધ કેસ દાખલ
251 મીટર લાંબી હશે રાજા રામની મૂર્તિ
મૂર્તિકાર અનિલ સુતારે જણાવ્યુ કે વર્ષ 2018માં સરયૂ નદીના કિનારે ભગવાન રામની ભવ્ય મૂર્તિ બનાવવાની કૉમ્પીટિશન રાખવામાં આવી હતી, જેમાં ઘણા કલાકારોએ ભાગ લીધો હતો અને પોતાની કળાનું પ્રદર્શન કરતા મૂર્તિ બનાવી હતી. સ્પર્ધામાં બનાવવામાં આવેલી મૂર્તિ ચિન્હિત કરવામાં આવી હતી જેનું સિલેક્શન રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કર્યુ હતુ.
તે એમ પણ કહે છે કે મૂર્તિ લગાવવા માટે જમીનની શોધ કરવામાં આવી રહી છે. જ્યા બિલ્ડિંગની ઉપર એક મંદિર બને. અયોધ્યામાં જે મૂર્તિ બનશે તે 251 મીટર લાંબી હશે, જેમાં 51 મીટર બિલ્ડિંગ હશે જેનું સ્વરૂપ મંદિર જેવુ હશે તેની ઉપર 200 મીટર ઉંચી મૂર્તિ હશે.
Advertisement