નવી દિલ્હી: વિશ્વભરમાં અમીરોની સંખ્યા વધી રહી છે. ભારતમાં પણ કરોડપતિની યાદીમાં સતત નવા નામ સામે થઇ રહ્યા છે પરંતુ આ વચ્ચે અમીરોના ભારત છોડીને બીજા સ્થળ શોધવાના દરમાં પણ વધારો થયો છે. હેનલે એન્ડ પાટર્નર્સના એક રિપોર્ટ અનુસાર, વર્ષભરમાં ભારતના 8,000 કરોડપતિઓએ દેશ છોડ્યુ છે, આ આંકડા સાથે હવે ભારત અમીરોના પલાયન મામલે ટોપ-3 દેશમાં સામેલ થઇ ગયુ છે.
Advertisement
Advertisement
રશિયા-ચીન પછી ત્રીજા નંબર પર ભારત
એક તરફ જ્યા વિશ્વના ટોપ અમીરોની યાદીમાં ભારતીય ઉદ્યોગપતિઓનો ડંકો વાગી રહ્યો છે, મોટી સંખ્યામાં ભારતીય રઇસોનો દેશમાંથી મોહભંગ થતો જોવા મળે છે. આંકડા કહી રહ્યા છે કે વર્ષ 2022માં જ હજારો કરોડપતિઓએ ભારતને ટાટા કહી દીધુ છે. હેનલે એન્ડ પાટર્નર્સે પોતાના રિપોર્ટમાં આ ખુલાસો કર્યો છે, તેમના અનુસાર, ભારત વિશ્વના તે ત્રણ દેશમાં સામેલ છે, જ્યાથી કરોડપતિઓનું પલાયન સૌથી વધારે થયુ છે. આ યાદીમાં પ્રથમ નંબર પર રશિયા, જ્યારે બીજા નંબર પર ચીનનું નામ આવે છે.
8 હજાર કરોડપતિઓએ પલાયન કર્યુ
બિઝનેસ ઇનસાઇડર પર છપાયેલા Henley And Partnersના રિપોર્ટને જોઇએ તો સ્પષ્ટ છે કે ભારત સહિત કેટલાક દેશના કરોડપતિ પોતાનો દેશ છોડીને બીજા દેશમાં વસવાને મહત્વ આપે છે. રિપોર્ટમાં આપવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો ભારતમાંથી 8 હજાર કરોડપતિઓએ 2022માં પલાયન કર્યુ છે. જ્યારે આ કેસમાં સૌથી આગળ રશિયામાંથી બીજા દેશમાં વસનારા કરોડપતિઓની સંખ્યા આ વર્ષે 15 હજારની રહી છે જ્યારે ચીનથી વધુ સમયમાં 10 હજાર કરોડપતિઓએ પલાયન કર્યુ છે.
આ દેશમાંથી અમીર છોડી રહ્યા છે સાથ
રિપોર્ટ અનુસાર, રશિયા-ચીન અને ભારત જ નહી પણ હોંગકોંગ એસએઆર, યૂક્રેન, બ્રાઝીલ, મેક્સિકો, બ્રિટન, સાઉદી અરબ અને ઇન્ડોનેશિયા જેવા દેશમાંથી પણ કરોડપતિ પલાયન થઇ રહ્યા છે અને તેમના દરમાં વધારો થઇ રહ્યો છે. છેલ્લા 10 વર્ષમાં કરોડપતિઓના દેશ છોડવાનો દર સતત વધ્યો છે. કોરોના કાળ દરમિયાન 2020-21માં આ દરમાં કમી જોવા મળી હતી. રિપોર્ટમાં રશિયાના હુમલા ઝેલી રહેલા યૂક્રેન વિશે કહેવામાં આવે છે કે 2022ના અંત સુધી યૂક્રેનના હાઇ નેટવર્થ ધરાવતા 42 ટકા લોકો દેશ છોડી શકે છે.
આ પણ વાંચો: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022: બેરોજગારી- મોંઘવારી મુદ્દો, ભાજપ પર ગુસ્સો અને નારાજગી છતા પણ મોદીને જ આપશે મત
વિશ્વના 88000 અમીરોએ શોધ્યુ નવુ ઠેકાણુ
હેનલે એન્ડ પાટનર્સની માનીએ તો વર્ષ 2022માં અત્યાર સુધી વિશ્વના તમામ દેશમાંથી લગભગ 88,000 હાઇ નેટવર્થ ધરાવતા લોકો (HNI) બીજા દેશમાં ગયા છે. ભારત-રશિયા અને ચીન સિવાય હોંગકોંગથી 3 હજાર અમીર અને યૂક્રેનમાંથી 2,800 કરોડપતિઓએ પલાયન કર્યુ છે. બ્રિટન આ યાદીમાં 1,500 અમીરોના પલાયન સાથે સાતમા નંબર પર છે. જે દેશમાં આ અમીર પોતાનું નવુ ઠેકાણુ શોધી રહ્યા છે તેમાં યૂએઇ, સિંગાપુર અને ઓસ્ટ્રેલિયા ટૉપ પર છે. રિપોર્ટ અનુસાર, પોતાનો દેશ છોડનારા કરોડપતિઓમાંથી યૂએઇમાં આ વર્ષે 4 હજાર, ઓસ્ટ્રેલિયામાં 3,500 અને સિંગાપુરમાં 2,800 લોકો પહોચ્યા છે.
Advertisement