ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 માટે પ્રથમ તબક્કા માટે પ્રચાર રોકાઇ ગયો છે. હવે બીજા તબક્કા (5 ડિસેમ્બર) મતદાન માટે ચૂંટણી પ્રચાર ઝડપી બની ગયો છે. વડાપ્રધાન મોદી પર ભાજપ માટે ચૂંટણી પ્રચારની મોટી જવાબદારી છે. વડાપ્રધાન મોદી 1 અને 2 ડિસેમ્બરે ગુજરાતના પ્રવાસે રહેશે. આ દરમિયાન પીએમ મોદી કુલ 7 જનસભાને સંબોધિત કરવાના છે.
Advertisement
Advertisement
વડાપ્રધાન મોદી 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાના મતદાન વચ્ચે પંચમહાલના કાલોલ, છોટા ઉદેપુર, બોડેલી અને હિંમતનગરમાં રેલી કરશે. અહી 5 ડિસેમ્બરે બીજા ફેઝમાં મતદાન થવાનું છે. કાલોલમાં ગુરૂવાર સવારે 11 વાગ્યે,બોડેલીમાં 12.30 અને હિંમતનગરમાં 2.45 વાગ્યે પીએમ મોદીની રેલીનો કાર્યક્રમ છે. તે બાદ પીએમ મોદી ગુરૂવારની રાત્રે ગાંધીનગરમાં રોકાશે.
તે બાદ 2 ડિસેમ્બરે વડાપ્રધાન મોદી બનાસકાંઠાના કાંકરેજ, પાટણ અને અમદાવાદમાં જનસભા કરશે. કાંકરેજમાં રેલી સવારે 11 વાગ્યે, પાટણમાં 12.30 વાગ્યે, સોજિત્રામાં 2.45 વાગ્યે અને અમદાવાદમાં અંતિમ રેલી સાંજે 7 વાગ્યે યોજાશે.
આ પણ વાંચો: ગુજરાત ચૂંટણી: કાલે ગુજરાતમાં પ્રથમ તબક્કા માટે મતદાન, જાણો મહત્વની વાતો
ગુજરાત ચૂંટણી માટે પીએમ મોદીએ 20 નવેમ્બરે સોમનાથ મંદિરમાં દર્શન કરીને ચૂંટણી પ્રચારનો પ્રારંભ કર્યો હતો. અમદાવાદમાં 2 ડિસેમ્બરે રોડ શો અને રેલી સાથે ભાજપનો પ્રચાર અભિયાન ખતમ થઇ જશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પીએમ મોદી અત્યાર સુધી 20 રેલી કરી ચુક્યા છે. આ સાથે જ તે બે કાર્યક્રમમાં ભાગ લઇ ચુક્યા છે. બીજા તબક્કાના મતદાન પહેલા પીએમ મોદી ગુજરાતમાં 27 સભાને સંબોધિત કરી ચુક્યા હશે. ગત વિધાનસભા ચૂંટણીમાં પીએમ મોદીએ 34 જનસભાને સંબોધિત કરી હતી.
Advertisement