રાયપુરઃ છત્તીસગઢના માલગાંવમાં એક મોટો અકસ્માત થયો હતો. અહીં ખાણ ધરાશાયી થવાથી 7 લોકોના મોત થયા હતા. ખાણમાં ફસાયેલા ગ્રામજનોને બહાર કાઢવા માટે વહીવટી ટીમો બચાવ કામગીરીમાં લાગેલી છે. હજુ પમ અનેક લોકો તેમાં ફસાયેલા છે, રેસક્યૂ ઓપરેશન ચાલુ છે.
Advertisement
Advertisement
મૃતકોમાં બે મહિલા સામેલ
પોલીસ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોચી ગઇ છે અને રેસક્યૂ ઓપરેશન ચાલુ છે. સાત મૃતકમાં 2 મહિલા છે, અત્યાર સુધી બે ગ્રામીણોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા છે.
Chhattisgarh | Seven people killed while extracting limestone from a mine after it collapsed in the Bastar district pic.twitter.com/20sDD0JEjN
— ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) December 2, 2022
10થી વધુ ગ્રામીણ ફસાયા
છત્તીસગઢના જગદલપુરથી 11 કિલોમીટર દૂર આવેલા માલગાંમમાં ખાણમાં ખોદકામ દરમિયાન આ દૂર્ઘટના સર્જાઇ હતી. આ દૂર્ઘટનામાં હજુ પણ 10થી વધુ ગ્રામીણ ફસાયેલા છે. શબોને જેસીબીની મદદથી બહાર કાઢવામાં આવ્યા હતા.
આ દૂર્ઘટના પર મુખ્યમંત્રી રમણ સિંહે દુખ વ્યક્ત કર્યુ છે. છત્તીસગઢના મુખ્યમંત્રીએ લખ્યુ, ‘માલગાંવ, જગદલપુરમાં ખાણ ધસવાની દૂર્ઘટનામાં 7 મજૂરોના નિધનના દુખદ સમાચાર મળ્યા છે. હું ઇશ્વરને પ્રાથર્ના કરૂ છુ કે સ્વર્ગીય આત્માઓને શાંતિ આપે અને તંત્રને આગ્રહ છે કે મૃકરોના પરિવારજનો અને ઘાયલોને યોગ્ય વળતર આપવામાં આવે.
Advertisement