ભૂજ: કચ્છમાં સવારે 4.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. ભૂકંપ વિજ્ઞાન અનુસંધાન સંસ્થા (ISR)એ આ વાતની જાણકારી આપી છે. અધિકારીઓએ જણાવ્યુ કે ભૂકંપથી કોઇ નુકસાન કે સંપત્તિના નુકસાનની કોઇ જાણકારી નથી.
Advertisement
Advertisement
ગાંધીનગર સ્થિત ISRએ પોતાની વેબસાઇટ પર કહ્યુ કે સવારે છ વાગીને 38 મિનિટ પર 4.2 તીવ્રતાનો ભૂકંપના ઝટકા અનુભવાયા હતા અને તેનું કેન્દ્ર કચ્છમાં દૂધઇ ગામથી 11 કિલોમીટર ઉત્તર-ઉત્તર પૂર્વમાં હતુ.
વધુ જોખમ ધરાવતુ ભૂકંપીય ક્ષેત્ર
ઇંસ્ટીટ્યૂટ ઓફ સિસ્મોલૉજી રિસર્ચ (ISR)એ જણાવ્યુ કે આ પહેલા જિલ્લાના ખાવડા ગામથી 23 કિમી પૂર્વ-દક્ષિણ પૂર્વમાં ભૂકંપનું કેન્દ્ર સવારે 5.18 વાગ્યે 3.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કચ્છ જોખમ ધરાવતુ ભૂકંપીય વિસ્તાર છે અને અહી નિયમિત રીતે ઓછી તીવ્રતા ધરાવતા ભૂકંપ આવતા રહે છે.
આ જિલ્લામાં જાન્યુઆરી 2001માં વિનાશકારી ભૂકંપ આવ્યો હતો જેમાં 13,800 લોકો માર્યા ગયા હતા. સાથે જ 1.67 લાખની નજીક લોકો ઘાયલ થયા હતા. ભૂકંપે જિલ્લાના વિવિધ કસ્બા અને ગામમાં સંપત્તિને ગંભીર નુકસાન પહોચાડ્યુ હતુ.
24 જાન્યુઆરીએ આ રાજ્યમાં આવ્યો હતો ભૂકંપ
આ પહેલા 24 જાન્યુઆરીએ દિલ્હી- NCRની સાથે સાથે ઉત્તરાખંડ અને ઉત્તર પ્રદેશમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા 5.8 હતી અને ભૂકંપનું કેન્દ્ર નેપાળમાં હતુ, જેની ઉંડાઇ જમીનથી 10 કિલોમીટર નીચે હતી.
5 જાન્યુઆરીએ પણ આવ્યો હતો ભૂકંપ
આ પહેલા 5 જાન્યુઆરીએ પણ દિલ્હી-NCRમાં ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. જમ્મુ કાશ્મીરમાં પણ ધરતી હલી હતી. ત્યા પણ લોકોને ભૂકંપના ઝટકા અનુભવાયા હતા. આ ભૂકંપની તીવ્રતા 5.9 માપવામાં આવી હતી. ગત વર્ષે એટલે કે 2022માં ભારતમાં 400થી વધુ ભૂકંપ રેકોર્ડ કરવામાં આવ્યો હતો.
Advertisement